વિરમગામના ધારાસભ્ય Hardik Patelને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 14:38:25

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. સરથાણા વિસ્તારમાં નોંધાયેલા કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જે કેસમાં ધારાસભ્યને રાહત મળી છે તે 2017માં નોંધવામાં આવ્યો હતો. વિગતવાર વાર કરીએ તો પાટીદાર અનામત આંદોલન વખતે પરમિશન ન હોવા છતાંય કિરણ ચોક પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સરકાર વિરૂદ્ધ આકરા ભાષણો આપ્યા હતા. આ કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.     

    

સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ કર્યા જાહેર 

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે વિધાનસભા ઈલેક્શન યોજાયું હતું તે વખતે સુરતના યોગીચોક ખાતે પાટીદાર અનામત આંદોલન માટેની જન ક્રાંતિ રેલી યોજાઈ હતી. આ રેલી અંગેની પરમિટ લેવામાં ન આવી હતી ઉપરાંત રેલી દરમિયાન સરકાર પર હાર્દિક પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તે વખતે એટલે 2017માં સરથાણા વિસ્તારમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસને લઈ સુરત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. 


હાર્દિક પટેલે ચૂકાદા બાદ આપી પ્રતિક્રિયા 

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.