વિરમગામના ધારાસભ્ય Hardik Patelને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-19 14:38:25

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. સરથાણા વિસ્તારમાં નોંધાયેલા કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જે કેસમાં ધારાસભ્યને રાહત મળી છે તે 2017માં નોંધવામાં આવ્યો હતો. વિગતવાર વાર કરીએ તો પાટીદાર અનામત આંદોલન વખતે પરમિશન ન હોવા છતાંય કિરણ ચોક પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સરકાર વિરૂદ્ધ આકરા ભાષણો આપ્યા હતા. આ કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.     

    

સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ કર્યા જાહેર 

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે વિધાનસભા ઈલેક્શન યોજાયું હતું તે વખતે સુરતના યોગીચોક ખાતે પાટીદાર અનામત આંદોલન માટેની જન ક્રાંતિ રેલી યોજાઈ હતી. આ રેલી અંગેની પરમિટ લેવામાં ન આવી હતી ઉપરાંત રેલી દરમિયાન સરકાર પર હાર્દિક પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તે વખતે એટલે 2017માં સરથાણા વિસ્તારમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસને લઈ સુરત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. 


હાર્દિક પટેલે ચૂકાદા બાદ આપી પ્રતિક્રિયા 

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.