વિરમગામના ધારાસભ્ય Hardik Patelને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-19 14:38:25

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. સરથાણા વિસ્તારમાં નોંધાયેલા કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જે કેસમાં ધારાસભ્યને રાહત મળી છે તે 2017માં નોંધવામાં આવ્યો હતો. વિગતવાર વાર કરીએ તો પાટીદાર અનામત આંદોલન વખતે પરમિશન ન હોવા છતાંય કિરણ ચોક પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સરકાર વિરૂદ્ધ આકરા ભાષણો આપ્યા હતા. આ કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.     

    

સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ કર્યા જાહેર 

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે વિધાનસભા ઈલેક્શન યોજાયું હતું તે વખતે સુરતના યોગીચોક ખાતે પાટીદાર અનામત આંદોલન માટેની જન ક્રાંતિ રેલી યોજાઈ હતી. આ રેલી અંગેની પરમિટ લેવામાં ન આવી હતી ઉપરાંત રેલી દરમિયાન સરકાર પર હાર્દિક પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તે વખતે એટલે 2017માં સરથાણા વિસ્તારમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસને લઈ સુરત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. 


હાર્દિક પટેલે ચૂકાદા બાદ આપી પ્રતિક્રિયા 

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.