અમદાવાદ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ફટકારી સદી, પત્ની અનુષ્કાએ આ ખુલાસો કરી સૌને ચોંકાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-12 18:14:34

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો વિન્ટેજ લુક જોવા મળ્યો છે. તેણે તેના જૂના દિવસોની જેમ કાંગારૂઓ સામે જબરદસ્ત સદી ફટકારી છે. તેની સદીની ચર્ચા આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે. આ સાથે હવે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને વિરાટના વખાણ કર્યા છે. તેણે મોટો ખુલાસો કર્યો છે કે કોહલી બીમારીમાં રમી રહ્યો છે.


અનુષ્કા શર્માએ કર્યો આ ખુલાસો


અમદાવાદમાં વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી બીમાર હોવાનો ખુલાસો કર્યો છે. તેણે વિરાટ કોહલીની સદીનો વિડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને તેના પર લખ્યું, 'બીમારીમાં પણ આ ધીરજ સાથે રમવું, મને હંમેશા પ્રેરણા આપે છે.'



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .