અમદાવાદ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ફટકારી સદી, પત્ની અનુષ્કાએ આ ખુલાસો કરી સૌને ચોંકાવ્યા


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-12 18:14:34

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો વિન્ટેજ લુક જોવા મળ્યો છે. તેણે તેના જૂના દિવસોની જેમ કાંગારૂઓ સામે જબરદસ્ત સદી ફટકારી છે. તેની સદીની ચર્ચા આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે. આ સાથે હવે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને વિરાટના વખાણ કર્યા છે. તેણે મોટો ખુલાસો કર્યો છે કે કોહલી બીમારીમાં રમી રહ્યો છે.


અનુષ્કા શર્માએ કર્યો આ ખુલાસો


અમદાવાદમાં વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી બીમાર હોવાનો ખુલાસો કર્યો છે. તેણે વિરાટ કોહલીની સદીનો વિડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને તેના પર લખ્યું, 'બીમારીમાં પણ આ ધીરજ સાથે રમવું, મને હંમેશા પ્રેરણા આપે છે.'



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.