T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો "વિરાટ કોહલી"


  • Published By :
  • Published Date : 2022-11-02 16:42:15

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ ટી-20 વર્લ્ડ કપમાં 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. કોહલીએ 23 ઇનિંગ્સમાં આ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

Virat Kohli scripts unique record on social media, joins Ronaldo in special  club | Cricket - Hindustan Times

કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સાતમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે તસ્કીન અહમદના પાંચમાં બોલ પર એક રન લઇને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના 1017 રન પુરા કર્યા હતા.


ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવરનાર ટોપ-5 બેટ્સમેનમાં બે ભારત અને બે શ્રીલંકાના છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી (1033 રન) છે. આ પછી મહેલા જયવર્ધને (1062 રન), ક્રિસ ગેઇલ (965 રન), રોહિત શર્મા (921 રન) અને તિલકરત્ને દિલશાન (897 રન) છે.


વિરાટ કોહલીના અણનમ 64 રન

બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 64 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.