વિરાટ કોહલી ODIમાં 50 સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો


  • Published By :
  • Published Date : 2023-11-15 18:10:51

ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કિંગ કોહલી વર્લ્ડ કપની મેચ દરમિયાન ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી છે. ઉલ્લેખનિય છે કે આઈસીસી વિશ્વકપ 2023માં આ ત્રીજી સદી ફટકારી છે. 


106 બોલમાં સદી


વિરાટ કોહલીએ લોકી ફર્ગ્યુસનના બોલ પર બે રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ 106 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ આ ઇનિંગ દરમિયાન અન્ય ઘણા ખૂબ જ ખાસ રેકોર્ડ બનાવ્યા છે.કોહલી હવે વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.


વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર


વિરાટ કોહલીએ 80 રન બનાવતાની સાથે જ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. કોહલી વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ બાબતમાં પણ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2003ની સિઝનમાં 7 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .