વિરાટ કોહલી ODIમાં 50 સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો


  • Published By :
  • Published Date : 2023-11-15 18:10:51

ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કિંગ કોહલી વર્લ્ડ કપની મેચ દરમિયાન ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી છે. ઉલ્લેખનિય છે કે આઈસીસી વિશ્વકપ 2023માં આ ત્રીજી સદી ફટકારી છે. 


106 બોલમાં સદી


વિરાટ કોહલીએ લોકી ફર્ગ્યુસનના બોલ પર બે રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ 106 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ આ ઇનિંગ દરમિયાન અન્ય ઘણા ખૂબ જ ખાસ રેકોર્ડ બનાવ્યા છે.કોહલી હવે વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.


વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર


વિરાટ કોહલીએ 80 રન બનાવતાની સાથે જ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. કોહલી વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ બાબતમાં પણ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2003ની સિઝનમાં 7 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.