T20 રેકિંગમાં કોહલીની કમાલ, 26માં સ્થાનેથી છલાંગ લગાવીને ટોપ-10માં એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2022-10-26 17:39:36


icc દ્વારા આજે 26 ઓક્ટોબરના દિવસે નવી ટી 20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેંકિંગમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બમ્પર ફાયદો થયો છે. કોહલી બેટ્સમેનની રેકિંગમાં છ સ્થાનોની છલાંગ લગાવીને 9માં ક્રમે પહોંચી ગયા છે. કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. કોહલીની આ મહેનત રંગ લાવી અને તેનું પરિણામ તેમની રેંકિંગમાં પણ જોવા મળ્યું છે.


કોહલીની મહેનત રંગ લાવી 


એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેના કારણે કોહલી ગત ઓગસ્ટમાં રેંકિંગમાં 35માં સ્થાન સુધી પહોંચી ગયા હતા. કોહલી એક મહિનાના બ્રેક બાદ પરત ફર્યા બાદ જુના ફોર્મ પાછા આવ્યા છે, હવે કોહલીએ બે મહિના બાદ ટોપ-10માં સ્થાન મેળવી લીધું છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.