ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારે થયેલી ગંદકીને સ્વયંસેવકોએ ઉઠાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:54:57

ગણેશ વિસર્જન બાદ દરિયા કિનારે અનેક ગંદકી તેમજ કચરો જોવા મળે છે. પ્લાસ્ટીક, પાણીની બોટલો સહીતનો કચરો નદી કિનારે ફરતો દેખાતો હોય છે. ત્યારે મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.

સ્વયંસેવકોએ સમજી પોતાની જવાબદારી

સમગ્ર દેશમાં ગણેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી. મહારાષ્ટ્રમાં આ તહેવારો વિશેષ મહત્વ હોય છે. અનેક ભક્તો ચોથના દિવસથી અનંત ચતુર્દશીએ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરેલા પ્રતિમાનું વિસર્જન કરે છે. મહોત્સવના અંતિમ દિવસે દરિયામાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન કરી લોકો તો જતા રહે છે પણ કચરો ત્યાંનો ત્યાં જ રહી જાય છે. મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.