ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારે થયેલી ગંદકીને સ્વયંસેવકોએ ઉઠાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:54:57

ગણેશ વિસર્જન બાદ દરિયા કિનારે અનેક ગંદકી તેમજ કચરો જોવા મળે છે. પ્લાસ્ટીક, પાણીની બોટલો સહીતનો કચરો નદી કિનારે ફરતો દેખાતો હોય છે. ત્યારે મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.

સ્વયંસેવકોએ સમજી પોતાની જવાબદારી

સમગ્ર દેશમાં ગણેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી. મહારાષ્ટ્રમાં આ તહેવારો વિશેષ મહત્વ હોય છે. અનેક ભક્તો ચોથના દિવસથી અનંત ચતુર્દશીએ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરેલા પ્રતિમાનું વિસર્જન કરે છે. મહોત્સવના અંતિમ દિવસે દરિયામાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન કરી લોકો તો જતા રહે છે પણ કચરો ત્યાંનો ત્યાં જ રહી જાય છે. મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .