વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-01 08:39:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.39 કરોડ લોકો 788 ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે. અનેક મતદારો, નેતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલે મતદારોને મત આપવા અપીલ કરી છે.

788 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં જો હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત મોરબીમાં પણ આજે મતદાન યોજાવાનું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ 

મતદાન શરૂ થયું ત્યારથી અનેક નેતાઓ મતદાન કરવા પોલિંગ બૂથ પર જઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ અને તેમની દિકરીની સાઈકલ પર તેલનો ડબ્બો લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જમાવટ પણ અપીલ કરી રહ્યું છે. 

Image



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.