વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-01 08:39:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.39 કરોડ લોકો 788 ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે. અનેક મતદારો, નેતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલે મતદારોને મત આપવા અપીલ કરી છે.

788 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં જો હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત મોરબીમાં પણ આજે મતદાન યોજાવાનું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ 

મતદાન શરૂ થયું ત્યારથી અનેક નેતાઓ મતદાન કરવા પોલિંગ બૂથ પર જઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ અને તેમની દિકરીની સાઈકલ પર તેલનો ડબ્બો લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જમાવટ પણ અપીલ કરી રહ્યું છે. 

Image



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.