વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-01 08:39:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.39 કરોડ લોકો 788 ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે. અનેક મતદારો, નેતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલે મતદારોને મત આપવા અપીલ કરી છે.

788 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં જો હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત મોરબીમાં પણ આજે મતદાન યોજાવાનું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ 

મતદાન શરૂ થયું ત્યારથી અનેક નેતાઓ મતદાન કરવા પોલિંગ બૂથ પર જઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ અને તેમની દિકરીની સાઈકલ પર તેલનો ડબ્બો લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જમાવટ પણ અપીલ કરી રહ્યું છે. 

Image



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.