વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-01 08:39:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.39 કરોડ લોકો 788 ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે. અનેક મતદારો, નેતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલે મતદારોને મત આપવા અપીલ કરી છે.

788 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં જો હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત મોરબીમાં પણ આજે મતદાન યોજાવાનું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ 

મતદાન શરૂ થયું ત્યારથી અનેક નેતાઓ મતદાન કરવા પોલિંગ બૂથ પર જઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ અને તેમની દિકરીની સાઈકલ પર તેલનો ડબ્બો લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જમાવટ પણ અપીલ કરી રહ્યું છે. 

Image



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.