દિલ્હી MCD ચૂંટણી માટે શરૂ થયું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-04 09:13:47

દિલ્હીમાં એમસીડી ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. નગર નિગમના 250 વોર્ડ માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી માટે 1349 ઉમેદવારોએ નામાંકન કરાવ્યું છે. 13638 પોલિંગ બુથ પર આ ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલી આ મતદાન પ્રક્રિયા સાંજના 5:30 વાગ્યા સુધી ચાલવાની છે.

  

અરવિંદ કેજરીવાલે મતદાન કરવાની અપીલ કરી 

દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીમાં કાંટાની ટક્કર થવાની છે. નગર નિગમ ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી છે અને લોકોને મતદાન કરવા અપીલ કરી છે. અત્યારે નગર નિગમમાં ભાજપની સત્તા છે. સરકારી રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કુલ મતદાર 1,45,05,358 છે. અનેક નેતાઓએ મતદાન પણ કરી દીધું છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે