સુરત સિવિલમાં થયો પાણીનો વેડફાટ, મોટર બંધ ન કરાતા ટ્રોમા સેન્ટરની બહાર ભરાયું પાણી


  • Published By :
  • Published Date : 2023-03-01 16:44:01

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં વધારો થતો હોય છે. અનેક વખત પાણી માટે વલખા મારતા લોકો પણ આપણને મળે છે. ત્યારે સુરતથી એવા ફોટા સામે આવ્યા છે જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સિવિલ તંત્રની બેદરકારીને કારણે સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ભરાવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ ડોક્ટરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દી અને તેના સંબંધીઓને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી.


સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં થયો પાણીનો વેડફાટ 

સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરતની સિવિલ હોસ્પિટલ હોય. સુરત સિવિલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગુજરાતમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજા તરફ સુરત સિવિલમાં હજારો લીટર પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ પ્રશાસનની બેદરકરારીને કારણે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ પાણીથી ભરાઈ ગયું છે. સમયસર ટાંકીની મોટર બંધ ન કરાતા સિવલિ હોસ્પિટલમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.   

પાર્કિંગમાં પણ પાણી ઘુસી ગયાં હતાં.

સ્ટ્રેચરને પણ પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી હતી.

દર્દીઓને હાલાકી વેઠવાનો આવ્યો વારો 

એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ઈમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓ એવા ટ્રોમા સેન્ટરની બહાર જ જોવા મળ્યો છે. ટ્રોમા સેન્ટરની બહાર પરિસર પાણીથી ઉભરાઈ ગયું હતું. કેમ્પસમાં પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓને પાણીમાં પસાર થવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી. એટલું પાણી ભરાઈ ગયું હતું કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પાણી ભરાઈ ગયા હતા. સિવિલ તંત્રની ઘોરબેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.