સુરત સિવિલમાં થયો પાણીનો વેડફાટ, મોટર બંધ ન કરાતા ટ્રોમા સેન્ટરની બહાર ભરાયું પાણી


  • Published By :
  • Published Date : 2023-03-01 16:44:01

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં વધારો થતો હોય છે. અનેક વખત પાણી માટે વલખા મારતા લોકો પણ આપણને મળે છે. ત્યારે સુરતથી એવા ફોટા સામે આવ્યા છે જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સિવિલ તંત્રની બેદરકારીને કારણે સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ભરાવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ ડોક્ટરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દી અને તેના સંબંધીઓને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી.


સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં થયો પાણીનો વેડફાટ 

સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરતની સિવિલ હોસ્પિટલ હોય. સુરત સિવિલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગુજરાતમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજા તરફ સુરત સિવિલમાં હજારો લીટર પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ પ્રશાસનની બેદરકરારીને કારણે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ પાણીથી ભરાઈ ગયું છે. સમયસર ટાંકીની મોટર બંધ ન કરાતા સિવલિ હોસ્પિટલમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.   

પાર્કિંગમાં પણ પાણી ઘુસી ગયાં હતાં.

સ્ટ્રેચરને પણ પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી હતી.

દર્દીઓને હાલાકી વેઠવાનો આવ્યો વારો 

એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ઈમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓ એવા ટ્રોમા સેન્ટરની બહાર જ જોવા મળ્યો છે. ટ્રોમા સેન્ટરની બહાર પરિસર પાણીથી ઉભરાઈ ગયું હતું. કેમ્પસમાં પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓને પાણીમાં પસાર થવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી. એટલું પાણી ભરાઈ ગયું હતું કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પાણી ભરાઈ ગયા હતા. સિવિલ તંત્રની ઘોરબેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.