સુરત સિવિલમાં થયો પાણીનો વેડફાટ, મોટર બંધ ન કરાતા ટ્રોમા સેન્ટરની બહાર ભરાયું પાણી


  • Published By :
  • Published Date : 2023-03-01 16:44:01

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં વધારો થતો હોય છે. અનેક વખત પાણી માટે વલખા મારતા લોકો પણ આપણને મળે છે. ત્યારે સુરતથી એવા ફોટા સામે આવ્યા છે જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સિવિલ તંત્રની બેદરકારીને કારણે સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ભરાવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ ડોક્ટરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દી અને તેના સંબંધીઓને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી.


સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં થયો પાણીનો વેડફાટ 

સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરતની સિવિલ હોસ્પિટલ હોય. સુરત સિવિલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગુજરાતમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજા તરફ સુરત સિવિલમાં હજારો લીટર પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ પ્રશાસનની બેદરકરારીને કારણે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ પાણીથી ભરાઈ ગયું છે. સમયસર ટાંકીની મોટર બંધ ન કરાતા સિવલિ હોસ્પિટલમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.   

પાર્કિંગમાં પણ પાણી ઘુસી ગયાં હતાં.

સ્ટ્રેચરને પણ પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી હતી.

દર્દીઓને હાલાકી વેઠવાનો આવ્યો વારો 

એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ઈમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓ એવા ટ્રોમા સેન્ટરની બહાર જ જોવા મળ્યો છે. ટ્રોમા સેન્ટરની બહાર પરિસર પાણીથી ઉભરાઈ ગયું હતું. કેમ્પસમાં પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓને પાણીમાં પસાર થવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી. એટલું પાણી ભરાઈ ગયું હતું કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પાણી ભરાઈ ગયા હતા. સિવિલ તંત્રની ઘોરબેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.