પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:28:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે પાટીદારોના અનામત માટેના આંદોલનમાં નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચીશું. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. 

પાટીદાર આંદોલનમાં નોંધાયેલ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી 

ગુજરાતમાં પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં છે. ગુજરાતના મોટી સંખ્યાના પાટીદારો જમીન હોવાના કારણે આર્થિક સદ્ધર છે. તેમની ગુજરાતમાં મોટી વૉટબેન્ક છે ત્યારે પાટીદાર આંદોલન અને અન્ય તમામ આંદોલનોમાં નોંધાયેલા કેસો પાછા ખેંચી લેવશે તેવી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હોય શકે તેવું વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર ફેક્ટરનો મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .