પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:28:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે પાટીદારોના અનામત માટેના આંદોલનમાં નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચીશું. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. 

પાટીદાર આંદોલનમાં નોંધાયેલ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી 

ગુજરાતમાં પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં છે. ગુજરાતના મોટી સંખ્યાના પાટીદારો જમીન હોવાના કારણે આર્થિક સદ્ધર છે. તેમની ગુજરાતમાં મોટી વૉટબેન્ક છે ત્યારે પાટીદાર આંદોલન અને અન્ય તમામ આંદોલનોમાં નોંધાયેલા કેસો પાછા ખેંચી લેવશે તેવી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હોય શકે તેવું વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર ફેક્ટરનો મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.