પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:28:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે પાટીદારોના અનામત માટેના આંદોલનમાં નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચીશું. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. 

પાટીદાર આંદોલનમાં નોંધાયેલ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી 

ગુજરાતમાં પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં છે. ગુજરાતના મોટી સંખ્યાના પાટીદારો જમીન હોવાના કારણે આર્થિક સદ્ધર છે. તેમની ગુજરાતમાં મોટી વૉટબેન્ક છે ત્યારે પાટીદાર આંદોલન અને અન્ય તમામ આંદોલનોમાં નોંધાયેલા કેસો પાછા ખેંચી લેવશે તેવી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હોય શકે તેવું વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર ફેક્ટરનો મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.