Weather Analysis : ગુજરાતમાં ગરમી મચાવશે હાહાકાર! પાટનગરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રી, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:46:38

આકરી ગરમીનો માર આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી  ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતાઓ રહેલી છે. સોમવારના દિવસે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું..  અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું હતું..


ક્યાં માટે કરાઈ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે હીટવેવી આગાહી કરવામાં આવી છે... ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..  મહત્વનું છે કે એએમસી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યાં ગરમીનો પારો 45 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે.. 


ગરમીથી બચવા શું કરવો જોઈએ ઉપાય? 

મહત્વનું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી જતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. જો ઘરની બહાર તમે જઈ રહ્યા છો તો ગરમી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.. મોંઢાને, હાથને ઢાંકેલા રાખવા જોઈએ..  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.