Weather Analysis : ગુજરાતમાં ગરમી મચાવશે હાહાકાર! પાટનગરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રી, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:46:38

આકરી ગરમીનો માર આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી  ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતાઓ રહેલી છે. સોમવારના દિવસે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું..  અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું હતું..


ક્યાં માટે કરાઈ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે હીટવેવી આગાહી કરવામાં આવી છે... ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..  મહત્વનું છે કે એએમસી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યાં ગરમીનો પારો 45 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે.. 


ગરમીથી બચવા શું કરવો જોઈએ ઉપાય? 

મહત્વનું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી જતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. જો ઘરની બહાર તમે જઈ રહ્યા છો તો ગરમી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.. મોંઢાને, હાથને ઢાંકેલા રાખવા જોઈએ..  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.