Weather Analysis : ગુજરાતમાં ગરમી મચાવશે હાહાકાર! પાટનગરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રી, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:46:38

આકરી ગરમીનો માર આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી  ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતાઓ રહેલી છે. સોમવારના દિવસે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું..  અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું હતું..


ક્યાં માટે કરાઈ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે હીટવેવી આગાહી કરવામાં આવી છે... ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..  મહત્વનું છે કે એએમસી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યાં ગરમીનો પારો 45 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે.. 


ગરમીથી બચવા શું કરવો જોઈએ ઉપાય? 

મહત્વનું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી જતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. જો ઘરની બહાર તમે જઈ રહ્યા છો તો ગરમી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.. મોંઢાને, હાથને ઢાંકેલા રાખવા જોઈએ..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે