Weather Analysis : ગુજરાતમાં ગરમી મચાવશે હાહાકાર! પાટનગરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રી, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:46:38

આકરી ગરમીનો માર આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી  ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતાઓ રહેલી છે. સોમવારના દિવસે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું..  અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું હતું..


ક્યાં માટે કરાઈ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે હીટવેવી આગાહી કરવામાં આવી છે... ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..  મહત્વનું છે કે એએમસી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યાં ગરમીનો પારો 45 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે.. 


ગરમીથી બચવા શું કરવો જોઈએ ઉપાય? 

મહત્વનું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી જતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. જો ઘરની બહાર તમે જઈ રહ્યા છો તો ગરમી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.. મોંઢાને, હાથને ઢાંકેલા રાખવા જોઈએ..  



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.