Weather Analysis : વરસાદની દ્રષ્ટિએ આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે! અંબાલાલ પટેલે નવા અંદાજમાં કરી વરસાદની આગાહી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 13:28:40

ગુજરાતમાં વરસાદે અનેક રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના બીજા રાઉન્ડે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  જે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીની વાત કરી એ તો આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ ઉપરાંત  સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટ આપવામાં આવેલા જિલ્લાની વાત કરીએ તો રેડ એલર્ટ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર માટે છે, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા,પોરબંદર તેમજ બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નક્ષત્ર મુજબ અંબાલાલ પટેલ કરે છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ બનાસકાંઠામાં પૂર આવી શકે છે. અંબાલાલ કાકાએ પહેલા આગાહી કરી હતી કે જુલાઈમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે. અને તેમનું અનુમાન દર વખતની જેમ સાચુ સાબિત થતું જણાઈ રહ્યું છે. અંબાલાલ કાકા નક્ષત્રોને ધ્યાનમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ વખતની આગાહી માટે પણ તેમણે નક્ષત્રના આધારે આગાહી કરી છે જે મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ફરી એક વખત ખુલી પ્રિમોન્સુન કામગીરીની પોલ 

ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂવા પડી ગયા છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી જ્યાં પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો પણ બંધ પડી જાય છે.  તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ જેમ દર વખતે ખુલે છે તેમ આ વખતે પણ ખુલ્લી છે. સ્માર્ટ સિટીને લઈ કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.