Weather Analysis : વરસાદની દ્રષ્ટિએ આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે! અંબાલાલ પટેલે નવા અંદાજમાં કરી વરસાદની આગાહી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 13:28:40

ગુજરાતમાં વરસાદે અનેક રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના બીજા રાઉન્ડે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  જે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીની વાત કરી એ તો આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ ઉપરાંત  સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટ આપવામાં આવેલા જિલ્લાની વાત કરીએ તો રેડ એલર્ટ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર માટે છે, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા,પોરબંદર તેમજ બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નક્ષત્ર મુજબ અંબાલાલ પટેલ કરે છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ બનાસકાંઠામાં પૂર આવી શકે છે. અંબાલાલ કાકાએ પહેલા આગાહી કરી હતી કે જુલાઈમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે. અને તેમનું અનુમાન દર વખતની જેમ સાચુ સાબિત થતું જણાઈ રહ્યું છે. અંબાલાલ કાકા નક્ષત્રોને ધ્યાનમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ વખતની આગાહી માટે પણ તેમણે નક્ષત્રના આધારે આગાહી કરી છે જે મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ફરી એક વખત ખુલી પ્રિમોન્સુન કામગીરીની પોલ 

ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂવા પડી ગયા છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી જ્યાં પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો પણ બંધ પડી જાય છે.  તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ જેમ દર વખતે ખુલે છે તેમ આ વખતે પણ ખુલ્લી છે. સ્માર્ટ સિટીને લઈ કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.