Weather Analysis : વરસાદની દ્રષ્ટિએ આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે! અંબાલાલ પટેલે નવા અંદાજમાં કરી વરસાદની આગાહી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 13:28:40

ગુજરાતમાં વરસાદે અનેક રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના બીજા રાઉન્ડે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  જે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીની વાત કરી એ તો આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ ઉપરાંત  સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટ આપવામાં આવેલા જિલ્લાની વાત કરીએ તો રેડ એલર્ટ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર માટે છે, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા,પોરબંદર તેમજ બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નક્ષત્ર મુજબ અંબાલાલ પટેલ કરે છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ બનાસકાંઠામાં પૂર આવી શકે છે. અંબાલાલ કાકાએ પહેલા આગાહી કરી હતી કે જુલાઈમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે. અને તેમનું અનુમાન દર વખતની જેમ સાચુ સાબિત થતું જણાઈ રહ્યું છે. અંબાલાલ કાકા નક્ષત્રોને ધ્યાનમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ વખતની આગાહી માટે પણ તેમણે નક્ષત્રના આધારે આગાહી કરી છે જે મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ફરી એક વખત ખુલી પ્રિમોન્સુન કામગીરીની પોલ 

ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂવા પડી ગયા છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી જ્યાં પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો પણ બંધ પડી જાય છે.  તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ જેમ દર વખતે ખુલે છે તેમ આ વખતે પણ ખુલ્લી છે. સ્માર્ટ સિટીને લઈ કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.