Weather Analysis : ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડ્યું...! શું કહે છે હવામાન વિભાગની આગાહી, તમારા જિલ્લામાં વરસાદ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-06-14 11:15:32

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ધીરે ધીરે ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન ચાર દિવસ પહેલા થયું હતું જેને કારણે ખેડૂતોમાં આનંદ હતો પરંતુ ચોમાસું આવતાની સાથે જ નબળું પડી ગયું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.. માત્ર થોડા સમયની અંદર ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડી જતા આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું બન્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ છુટાછવાયા સ્થળો માટે. માત્ર થોડા વિસ્તારો માટે જ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.. વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે. આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થઈ ગયું જેને કારણે લોકોમાં આનંદ હતો. વરસાદની આગાહી તો કરવામાં આવે છે અનેક સ્થળો પર વરસાદ પણ વરસે છે પરંતુ દરેક જગ્યા પર વરસાદ થતો નથી જેને કારણે બફારો વધી જાય છે અને ઉકળાટ વધે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર  મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસી શકે છે.. .

Image


Image

Image

17 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન 

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયો વરસાદ વરસી શકે છે. 16 તેમજ 17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.   

Image


Image

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે... 

વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, વાવણી પણ શરૂ કરી દીધી હતી.. આ વખતે સારો વરસાદ આવશે તેવી આશા દર વખતે ખેડૂતો રાખતા હોય છે પરંતુ વરસાદ અનેક વખત દગો કરી દેતો હોય છે ખેડૂતો સાથે.. વરસાદની સિસ્ટમ નબળી પડતા સૌથી વધારે ચિંતા ખેડૂતોને થતી હશે જેમનું જીવન વરસાદના આગમન પર નિર્ભર હોય છે..! 19 તારીખ સુધી તો સારો વરસાદ નહીં આવે, સાર્વત્રિક વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ આવવાની પાછળ અનેક પરિબળો અસર કરતા હોય છે.. વરસાદ ના આવે તો આપણને તો માત્ર ગરમી, બફારો સહન કરવો પડે છે પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતા વધી જતી હોય છે..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.