Weather Analysis : ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડ્યું...! શું કહે છે હવામાન વિભાગની આગાહી, તમારા જિલ્લામાં વરસાદ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-06-14 11:15:32

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ધીરે ધીરે ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન ચાર દિવસ પહેલા થયું હતું જેને કારણે ખેડૂતોમાં આનંદ હતો પરંતુ ચોમાસું આવતાની સાથે જ નબળું પડી ગયું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.. માત્ર થોડા સમયની અંદર ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડી જતા આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું બન્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ છુટાછવાયા સ્થળો માટે. માત્ર થોડા વિસ્તારો માટે જ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.. વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે. આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થઈ ગયું જેને કારણે લોકોમાં આનંદ હતો. વરસાદની આગાહી તો કરવામાં આવે છે અનેક સ્થળો પર વરસાદ પણ વરસે છે પરંતુ દરેક જગ્યા પર વરસાદ થતો નથી જેને કારણે બફારો વધી જાય છે અને ઉકળાટ વધે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર  મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસી શકે છે.. .

Image


Image

Image

17 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન 

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયો વરસાદ વરસી શકે છે. 16 તેમજ 17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.   

Image


Image

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે... 

વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, વાવણી પણ શરૂ કરી દીધી હતી.. આ વખતે સારો વરસાદ આવશે તેવી આશા દર વખતે ખેડૂતો રાખતા હોય છે પરંતુ વરસાદ અનેક વખત દગો કરી દેતો હોય છે ખેડૂતો સાથે.. વરસાદની સિસ્ટમ નબળી પડતા સૌથી વધારે ચિંતા ખેડૂતોને થતી હશે જેમનું જીવન વરસાદના આગમન પર નિર્ભર હોય છે..! 19 તારીખ સુધી તો સારો વરસાદ નહીં આવે, સાર્વત્રિક વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ આવવાની પાછળ અનેક પરિબળો અસર કરતા હોય છે.. વરસાદ ના આવે તો આપણને તો માત્ર ગરમી, બફારો સહન કરવો પડે છે પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતા વધી જતી હોય છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.