Weather Analysis: રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ વરસાદની આગાહી, ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-17 12:10:33

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હજી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી પડ્યો પરંતુ વરસાદનું આગમન અનેક વિસ્તારોમાં થઈ રહ્યું છે...વરસાદની પધરામણી થતા ગરમીથી રાહત મળી છે, પરંતુ બફારાથી લોકો પરેશાન થઈ ગયા છે..હજી સુધી એવો વરસાદ નથી વરસ્યો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. વરસાદ આવે છે, થોડા કલાકો સુધી ઠંડક રહે છે પરંતુ થોડા સમય બાદ ફરીથી ઉકળાટનો અનુભવ થાય છે. ત્યારે જાણીએ આગામી દિવસો દરમિયાન કેવું રહેશે હવામાન? હવામાન વિભાગે ક્યાં માટે કરી છે વરસાદની આગાહી?

image


image

મોટા ભાગો માટે કરાઈ વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના મોટા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આગાહી અનુસાર કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં છુટા છવાયા સ્થળે હળવો વરસાદ વરસી શકે છે. તે સિવાય દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, આણંદ, કચ્છ, બોટાદ સહિતના વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image


image

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ   

તે ઉપરાંત 18 તારીખ માટે આપવામાં આવેલી આગાહી અનુસાર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે..

image

21 તારીખ સુધી ક્યાં માટે કરાઈ વરસાદની આગાહી? 

20 તારીખે ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.