Weather Analysis - ફેંગલ વાવાઝોડાને કારણે ગુજરાતમાં આવશે વરસાદ? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?શું કહે છે હવામાન નિષ્ણાતોની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-30 12:14:45

રાજ્યમાં થોડા સમયથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમી લાગતી હતી કે પરંતુ ધીરે ધીરે બપોરના સમયે પવન ફૂંકાય છે જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે.. ગુજરાતમાં ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... 


ક્યાં નોંધાયું કેટલું તાપમાન?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 17.6 નોંધાયું છે.. સૌથી વધારે ઠંડી વડોદરામાં નોંધાઈ છે... લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.... સુરતનું તાપમાન 20 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે... મહત્વનું છે કે નવેમ્બરના અંતમાં જેવી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી રહી... ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે....

શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.... અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ નહીં થાય.. પરંતુ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. મહત્વનું છે કે  દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે... આ વાવાઝોડું એટલું શક્તિશાળી નથી જેની અસર સીધી રીતે ગુજરાત પર પડી શકે છે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.