Weather Analysis - ફેંગલ વાવાઝોડાને કારણે ગુજરાતમાં આવશે વરસાદ? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?શું કહે છે હવામાન નિષ્ણાતોની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-30 12:14:45

રાજ્યમાં થોડા સમયથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમી લાગતી હતી કે પરંતુ ધીરે ધીરે બપોરના સમયે પવન ફૂંકાય છે જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે.. ગુજરાતમાં ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... 


ક્યાં નોંધાયું કેટલું તાપમાન?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 17.6 નોંધાયું છે.. સૌથી વધારે ઠંડી વડોદરામાં નોંધાઈ છે... લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.... સુરતનું તાપમાન 20 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે... મહત્વનું છે કે નવેમ્બરના અંતમાં જેવી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી રહી... ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે....

શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.... અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ નહીં થાય.. પરંતુ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. મહત્વનું છે કે  દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે... આ વાવાઝોડું એટલું શક્તિશાળી નથી જેની અસર સીધી રીતે ગુજરાત પર પડી શકે છે..   



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.