Weather Analysis - ફેંગલ વાવાઝોડાને કારણે ગુજરાતમાં આવશે વરસાદ? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?શું કહે છે હવામાન નિષ્ણાતોની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-30 12:14:45

રાજ્યમાં થોડા સમયથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમી લાગતી હતી કે પરંતુ ધીરે ધીરે બપોરના સમયે પવન ફૂંકાય છે જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે.. ગુજરાતમાં ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... 


ક્યાં નોંધાયું કેટલું તાપમાન?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 17.6 નોંધાયું છે.. સૌથી વધારે ઠંડી વડોદરામાં નોંધાઈ છે... લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.... સુરતનું તાપમાન 20 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે... મહત્વનું છે કે નવેમ્બરના અંતમાં જેવી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી રહી... ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે....

શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.... અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ નહીં થાય.. પરંતુ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. મહત્વનું છે કે  દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે... આ વાવાઝોડું એટલું શક્તિશાળી નથી જેની અસર સીધી રીતે ગુજરાત પર પડી શકે છે..   



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?