Weather Analysis : India-Pak મેચ દરમિયાન નહીં આવે વરસાદ પરંતુ ખેલૈયાના રંગમાં પડશે ભંગ! જાણો ક્યાં અને ક્યારે આવી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-10-12 12:05:01

14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે. ક્રિકેટ રસિયાઓ આ મેચને લઈ અત્યંત ઉત્સાહિત છે તો તેના પછીના દિવસથી એટલે કે 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. પહેલા એવી આગાહી હતી કે ક્રિકેટ રસિયાઓ તેમજ ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે પરંતુ હવે આગાહીમાં ચેન્જ કરવામાં આવ્યો છે. જે મુજબ ક્રિકેટ રસિયાઓની ચિંતા ટળી છે પરંતુ ખેલૈયાઓની ચિંતા હજી પણ યથાવત રહેશે. મતલબ કે 14 ઓક્ટોબરે વરસાદ નહીં થાય પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી કરવામાં આવી છે.

World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે? સામે આવ્યા 5  મોટા અપડેટ - Gujarati News | India Vs Pakistan match World Cup 2023 venue  and other details in Gujarati -

11 पिच, न दिखेगी परछाई, न होगी बरसात की टेंशन... जानिए क्या है नरेंद्र मोदी  स्टेडियम की खासियत - Ahmedabad Narendra Modi Stadium faculty list home  minister amit shah - AajTak

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ નહીં કરે વિધ્ન 

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રીની મજા વરસાદ બગાડશે તેવી આગાહી ઘણા સમયથી અંબાલાલ પટેલ કરી રહ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી. એવું લાગતું હતું કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ આવશે પરંતુ હવે ખેલૈયાઓની ચિંતા વરસાદે વધારી છે.  

Gujarat Weather Update: આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? ખાસ જાણો  હવામાન વિભાગની આગાહી

15થી 17 ઓક્ટોબર દરમિયાન વાતાવરણમાં આવશે પલટો 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 14 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય થશે જેને કારણે 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી પણ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

14 ઓક્ટોબરના રોજ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર 15 તેમજ 16 ઓક્ટોબરની આજુબાજુ દેખાશે જેને કારણે નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15 ઓક્ટોબર માટે જે આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો મહેસાણામાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, આણંદમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બોટાદમાં, ખેડામાં, ગાંધીનગરમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. 


Navratri 2018: Make your Navratri special by performing these Garba forms -  News Of Rajasthan

The most colourful Navratri Garba in Gujarat - Travel Photography Blog By  Kaynat Kazi


નવરાત્રી દરમિયાન વરસાદને કારણે બગડી શકે છે મજા

તે ઉપરાંત 16 તારીખે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે આ તારીખો છે જ્યારે નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો હશે. નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તેવી આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તે ઉપરાંત રાત્રે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે ગરમીનો અનુભવ બપોરના સમયે થાય છે. થોડા દિવસો બાદ શિયાળાની શરૂઆત થઈ જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.