Weather Analysis : Gujaratમાં ફરી આવશે મુસીબતનું માવઠું! આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-19 16:55:04

શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. માવઠાની આગાહી કરાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને પારો ગગડી શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 

આ વિસ્તારોમા આવી શકે છે મુસીબતનું માવઠું 

રાજ્યના અનેક શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 13 ડિગ્રી પર પારો પહોંચી ગયો જ્યારે નલિયાનો પારો 11 ડિગ્રી આસપાસ ગગડી ગયો હતો. ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 



આવનાર દિવસમાં વધી શકે છે ઠંડીનો પારો

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.