Weather Analysis : Gujaratમાં ફરી આવશે મુસીબતનું માવઠું! આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-19 16:55:04

શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. માવઠાની આગાહી કરાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને પારો ગગડી શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 

આ વિસ્તારોમા આવી શકે છે મુસીબતનું માવઠું 

રાજ્યના અનેક શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 13 ડિગ્રી પર પારો પહોંચી ગયો જ્યારે નલિયાનો પારો 11 ડિગ્રી આસપાસ ગગડી ગયો હતો. ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 



આવનાર દિવસમાં વધી શકે છે ઠંડીનો પારો

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.