Weather Analysis : Gujaratમાં ફરી આવશે મુસીબતનું માવઠું! આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-19 16:55:04

શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. માવઠાની આગાહી કરાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને પારો ગગડી શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 

આ વિસ્તારોમા આવી શકે છે મુસીબતનું માવઠું 

રાજ્યના અનેક શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 13 ડિગ્રી પર પારો પહોંચી ગયો જ્યારે નલિયાનો પારો 11 ડિગ્રી આસપાસ ગગડી ગયો હતો. ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 



આવનાર દિવસમાં વધી શકે છે ઠંડીનો પારો

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.