Weather Update: ગુજરાતીઓ થઈ જજો ગરમીથી સાવધાન! આ શહેરનું તાપમાન પહોંચ્યું 45 ડિગ્રી નજીક.. જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-18 11:05:00

કાળઝાળ ગરમીનો માર ગુજરાતીઓ ઘણા દિવસથી સહન કરી રહ્યા હતા.. તાપમાનનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી પરંતુ તેની વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો. કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....


કાળઝાળ ગરમીનો કહેર સહન કરવો પડી રહ્યો છે

દર વર્ષે ઉનાળામાં પડતી ગરમી પોતાનો જ રેકોર્ડ તોડતી હોય તેવું લાગી રહ્યું છે.. દર વર્ષે તાપમાનના પારામાં સતત વધારો થતો જાય છે જેને કારણે ગરમીનો માર સહન કરવો પડે છે... આ વર્ષે પણ કાળઝાળ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી ઘણા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. તે આગાહી સાચી સાબિત થઈ રહી છે.. કાળઝાળ ગરમીનો માર સહન આપણે કરવો પડી રહ્યો છે. 


આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. સુરત, પોરબંદર, ભાવનગર, દ્વારકા તેમજ કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા. ભાવનગર, પોરબંદર, સુરત અને વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ગરમીનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.4, ગાંધીનગરનું તાપમાન 44.0 ડિગ્રી નોંધાયું જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 432. ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી છૂટકારો મળે તેની રાહ જોઈ રહ્યા છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"