Weather Update: ગુજરાતીઓ થઈ જજો ગરમીથી સાવધાન! આ શહેરનું તાપમાન પહોંચ્યું 45 ડિગ્રી નજીક.. જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-18 11:05:00

કાળઝાળ ગરમીનો માર ગુજરાતીઓ ઘણા દિવસથી સહન કરી રહ્યા હતા.. તાપમાનનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી પરંતુ તેની વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો. કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....


કાળઝાળ ગરમીનો કહેર સહન કરવો પડી રહ્યો છે

દર વર્ષે ઉનાળામાં પડતી ગરમી પોતાનો જ રેકોર્ડ તોડતી હોય તેવું લાગી રહ્યું છે.. દર વર્ષે તાપમાનના પારામાં સતત વધારો થતો જાય છે જેને કારણે ગરમીનો માર સહન કરવો પડે છે... આ વર્ષે પણ કાળઝાળ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી ઘણા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. તે આગાહી સાચી સાબિત થઈ રહી છે.. કાળઝાળ ગરમીનો માર સહન આપણે કરવો પડી રહ્યો છે. 


આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. સુરત, પોરબંદર, ભાવનગર, દ્વારકા તેમજ કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા. ભાવનગર, પોરબંદર, સુરત અને વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ગરમીનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.4, ગાંધીનગરનું તાપમાન 44.0 ડિગ્રી નોંધાયું જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 432. ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી છૂટકારો મળે તેની રાહ જોઈ રહ્યા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે