Weather Update: ગુજરાતીઓ થઈ જજો ગરમીથી સાવધાન! આ શહેરનું તાપમાન પહોંચ્યું 45 ડિગ્રી નજીક.. જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-18 11:05:00

કાળઝાળ ગરમીનો માર ગુજરાતીઓ ઘણા દિવસથી સહન કરી રહ્યા હતા.. તાપમાનનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી પરંતુ તેની વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો. કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....


કાળઝાળ ગરમીનો કહેર સહન કરવો પડી રહ્યો છે

દર વર્ષે ઉનાળામાં પડતી ગરમી પોતાનો જ રેકોર્ડ તોડતી હોય તેવું લાગી રહ્યું છે.. દર વર્ષે તાપમાનના પારામાં સતત વધારો થતો જાય છે જેને કારણે ગરમીનો માર સહન કરવો પડે છે... આ વર્ષે પણ કાળઝાળ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી ઘણા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. તે આગાહી સાચી સાબિત થઈ રહી છે.. કાળઝાળ ગરમીનો માર સહન આપણે કરવો પડી રહ્યો છે. 


આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. સુરત, પોરબંદર, ભાવનગર, દ્વારકા તેમજ કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા. ભાવનગર, પોરબંદર, સુરત અને વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ગરમીનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.4, ગાંધીનગરનું તાપમાન 44.0 ડિગ્રી નોંધાયું જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 432. ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું છે.. મહત્વનું છે કે સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી છૂટકારો મળે તેની રાહ જોઈ રહ્યા છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.