ઉત્તરભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ, ઠંડી વચ્ચે થશે વરસાદનું આગમન!


  • Published By :
  • Published Date : 2023-01-19 08:59:39

ઉત્તરભારતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉપરાંત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અંતર્ગત કાતિલ ઠંડીથી છુટકારો મળશે પરંતુ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં ઓછી ઠંડીનો અહેસાસ થશે પરંતુ 21 જાન્યુઆરીની આસપાસ વરસાદ વરસી શકે છે. 


હિમવર્ષાને કારણે થતો ઠંડીનો અહેસાસ

દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ માજા મૂકી છે. કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે બીજા રાજ્યોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે. અનેક રાજ્યોમાં શીતલહેરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ,હરિયાણા જેવો રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

ઠંડીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ પ઼ડવાની આગાહી કરી છે. મોસમ વિભાગ અનુસાર 20 જાન્યુઆરીથી પહાડો વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેને પગલે પંજાબમાં 22 જાન્યુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં પણ 22 જાન્યુઆરી બાદ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાનમાં કોલ્ડવેવની અનુભૂતિ થવાની છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.