ઉત્તરભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ, ઠંડી વચ્ચે થશે વરસાદનું આગમન!


  • Published By :
  • Published Date : 2023-01-19 08:59:39

ઉત્તરભારતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉપરાંત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અંતર્ગત કાતિલ ઠંડીથી છુટકારો મળશે પરંતુ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં ઓછી ઠંડીનો અહેસાસ થશે પરંતુ 21 જાન્યુઆરીની આસપાસ વરસાદ વરસી શકે છે. 


હિમવર્ષાને કારણે થતો ઠંડીનો અહેસાસ

દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ માજા મૂકી છે. કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે બીજા રાજ્યોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે. અનેક રાજ્યોમાં શીતલહેરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ,હરિયાણા જેવો રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

ઠંડીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ પ઼ડવાની આગાહી કરી છે. મોસમ વિભાગ અનુસાર 20 જાન્યુઆરીથી પહાડો વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેને પગલે પંજાબમાં 22 જાન્યુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં પણ 22 જાન્યુઆરી બાદ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાનમાં કોલ્ડવેવની અનુભૂતિ થવાની છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.