ઉત્તરભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ, ઠંડી વચ્ચે થશે વરસાદનું આગમન!


  • Published By :
  • Published Date : 2023-01-19 08:59:39

ઉત્તરભારતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉપરાંત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અંતર્ગત કાતિલ ઠંડીથી છુટકારો મળશે પરંતુ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં ઓછી ઠંડીનો અહેસાસ થશે પરંતુ 21 જાન્યુઆરીની આસપાસ વરસાદ વરસી શકે છે. 


હિમવર્ષાને કારણે થતો ઠંડીનો અહેસાસ

દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ માજા મૂકી છે. કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે બીજા રાજ્યોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે. અનેક રાજ્યોમાં શીતલહેરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ,હરિયાણા જેવો રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

ઠંડીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ પ઼ડવાની આગાહી કરી છે. મોસમ વિભાગ અનુસાર 20 જાન્યુઆરીથી પહાડો વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેને પગલે પંજાબમાં 22 જાન્યુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં પણ 22 જાન્યુઆરી બાદ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાનમાં કોલ્ડવેવની અનુભૂતિ થવાની છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.