ઉત્તરભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ, ઠંડી વચ્ચે થશે વરસાદનું આગમન!


  • Published By :
  • Published Date : 2023-01-19 08:59:39

ઉત્તરભારતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉપરાંત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અંતર્ગત કાતિલ ઠંડીથી છુટકારો મળશે પરંતુ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં ઓછી ઠંડીનો અહેસાસ થશે પરંતુ 21 જાન્યુઆરીની આસપાસ વરસાદ વરસી શકે છે. 


હિમવર્ષાને કારણે થતો ઠંડીનો અહેસાસ

દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ માજા મૂકી છે. કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે બીજા રાજ્યોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે. અનેક રાજ્યોમાં શીતલહેરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ,હરિયાણા જેવો રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

ઠંડીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ પ઼ડવાની આગાહી કરી છે. મોસમ વિભાગ અનુસાર 20 જાન્યુઆરીથી પહાડો વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેને પગલે પંજાબમાં 22 જાન્યુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે. દિલ્હી, ચંડીગઢ અને હરિયાણામાં પણ 22 જાન્યુઆરી બાદ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાનમાં કોલ્ડવેવની અનુભૂતિ થવાની છે.    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.