મેઘરાજા ફરી બોલાવશે સટાસટી, હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યના આ ભાગોમાં થશે મેઘ મહેર


  • Published By :
  • Published Date : 2023-09-04 17:14:05

રાજ્યમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, આ કારણે જગતનો તાત ચિંતિંત બન્યો છે. ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને હવે મેઘ મહેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્ય હવામાન વિભાગે વરસાદ અંગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. નવી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે તેનું કારણ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેર થઈ શકે છે. 


બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.


આગામી પાંચ દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં પાછલા લાંબા સમયથી લગભગ હવામા સૂકું રહ્યું છે. જેમાં હળવો વરસાદ માત્ર દક્ષિણના કેટલાક ભાગો સુધી સિમિત રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગ સહિત આ વખતે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસના અંગે આગાહી કરી છે. જેમાં તેઓ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે. ત્રીજા દિવસ (6 સપ્ટેમ્બર)થી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, અહીંનું હવામાન 5 દિવસ દરમિયાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે. પરંતુ દરિયાકિનારાના ભાગો છે ત્યાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.


7 અને 8 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે જિલ્લાઓમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાંથી ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું હવામાન વાદળછાયું રહેશે, જ્યારે તાપમાનમાં કોઈ મોટા વધારા-ઘટાડાની શક્યતાઓ નથી. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગાંધીનગરનું 35 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ નથી. 6 તારીખથી અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.


સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હળવો વરસાદ


સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.