મેઘરાજા ફરી બોલાવશે સટાસટી, હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યના આ ભાગોમાં થશે મેઘ મહેર


  • Published By :
  • Published Date : 2023-09-04 17:14:05

રાજ્યમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, આ કારણે જગતનો તાત ચિંતિંત બન્યો છે. ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને હવે મેઘ મહેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્ય હવામાન વિભાગે વરસાદ અંગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. નવી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે તેનું કારણ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેર થઈ શકે છે. 


બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.


આગામી પાંચ દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં પાછલા લાંબા સમયથી લગભગ હવામા સૂકું રહ્યું છે. જેમાં હળવો વરસાદ માત્ર દક્ષિણના કેટલાક ભાગો સુધી સિમિત રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગ સહિત આ વખતે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસના અંગે આગાહી કરી છે. જેમાં તેઓ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે. ત્રીજા દિવસ (6 સપ્ટેમ્બર)થી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, અહીંનું હવામાન 5 દિવસ દરમિયાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે. પરંતુ દરિયાકિનારાના ભાગો છે ત્યાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.


7 અને 8 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે જિલ્લાઓમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાંથી ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું હવામાન વાદળછાયું રહેશે, જ્યારે તાપમાનમાં કોઈ મોટા વધારા-ઘટાડાની શક્યતાઓ નથી. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગાંધીનગરનું 35 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ નથી. 6 તારીખથી અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.


સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હળવો વરસાદ


સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.