મેઘરાજા ફરી બોલાવશે સટાસટી, હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યના આ ભાગોમાં થશે મેઘ મહેર


  • Published By :
  • Published Date : 2023-09-04 17:14:05

રાજ્યમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, આ કારણે જગતનો તાત ચિંતિંત બન્યો છે. ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને હવે મેઘ મહેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્ય હવામાન વિભાગે વરસાદ અંગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. નવી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે તેનું કારણ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેર થઈ શકે છે. 


બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.


આગામી પાંચ દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં પાછલા લાંબા સમયથી લગભગ હવામા સૂકું રહ્યું છે. જેમાં હળવો વરસાદ માત્ર દક્ષિણના કેટલાક ભાગો સુધી સિમિત રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગ સહિત આ વખતે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસના અંગે આગાહી કરી છે. જેમાં તેઓ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે. ત્રીજા દિવસ (6 સપ્ટેમ્બર)થી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, અહીંનું હવામાન 5 દિવસ દરમિયાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે. પરંતુ દરિયાકિનારાના ભાગો છે ત્યાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.


7 અને 8 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે જિલ્લાઓમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાંથી ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું હવામાન વાદળછાયું રહેશે, જ્યારે તાપમાનમાં કોઈ મોટા વધારા-ઘટાડાની શક્યતાઓ નથી. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગાંધીનગરનું 35 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ નથી. 6 તારીખથી અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.


સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હળવો વરસાદ


સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી