વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 18:35:15

તાપમાનનો પારો એટલો બધો ઉંચકાયો છે કે વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.. વરસાદ આવે અને ઠંડક પ્રસરે.. આ વખતનું ઉનાળું કપરૂં સાબિત થશે તેવી આગાહી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.. ગરમી ભુક્કા બોલાવશે તેવી વાત હવામાન વિભાગ તેમજ નિષ્ણાત દ્વારા કરવામાં આવી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ચોમાસાને લઈ, વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.


21મે બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો 

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો.. ગરમીની આગાહીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. કમોસમી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. પાકને મોટા પાયે નુકસાન થયું.. ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ચોમાસાનું આગમન આ વખતે વહેલા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી.. આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તેમણે કહ્યું કે 21 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી રાહત મળશે.. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ચાર દિવસો દરમિયાન વાતાવરણ યથાવત રહેશે.. રાજ્યના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. 45 ડિગ્રી આસપાસ પારો પહોંચવા આવ્યો છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાપમાનનો પારો 21 તારીખ સુધી યથાવત રહી શકે છે અને તે બાદ હવામાનમાં પલટો આવશે.. 4 જૂન બાદ વરસાદ આવી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી

મહત્વનું છે કે ના માત્ર ગુજરાતનું તાપમાન વધી રહ્યું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે.. તાપમાનનો પારો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું લાગે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. ત્યારે તમે પણ ઘરની બહાર ત્યારે જ નીકળજો જો ખૂબ જરૂરી કામ હોય.. ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, પોતાની બોડીને હાઈડ્રેટેડ રાખવી જોઈએ.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે