વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 18:35:15

તાપમાનનો પારો એટલો બધો ઉંચકાયો છે કે વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.. વરસાદ આવે અને ઠંડક પ્રસરે.. આ વખતનું ઉનાળું કપરૂં સાબિત થશે તેવી આગાહી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.. ગરમી ભુક્કા બોલાવશે તેવી વાત હવામાન વિભાગ તેમજ નિષ્ણાત દ્વારા કરવામાં આવી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ચોમાસાને લઈ, વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.


21મે બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો 

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો.. ગરમીની આગાહીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. કમોસમી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. પાકને મોટા પાયે નુકસાન થયું.. ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ચોમાસાનું આગમન આ વખતે વહેલા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી.. આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તેમણે કહ્યું કે 21 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી રાહત મળશે.. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ચાર દિવસો દરમિયાન વાતાવરણ યથાવત રહેશે.. રાજ્યના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. 45 ડિગ્રી આસપાસ પારો પહોંચવા આવ્યો છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાપમાનનો પારો 21 તારીખ સુધી યથાવત રહી શકે છે અને તે બાદ હવામાનમાં પલટો આવશે.. 4 જૂન બાદ વરસાદ આવી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી

મહત્વનું છે કે ના માત્ર ગુજરાતનું તાપમાન વધી રહ્યું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે.. તાપમાનનો પારો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું લાગે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. ત્યારે તમે પણ ઘરની બહાર ત્યારે જ નીકળજો જો ખૂબ જરૂરી કામ હોય.. ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, પોતાની બોડીને હાઈડ્રેટેડ રાખવી જોઈએ.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે