વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 18:35:15

તાપમાનનો પારો એટલો બધો ઉંચકાયો છે કે વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.. વરસાદ આવે અને ઠંડક પ્રસરે.. આ વખતનું ઉનાળું કપરૂં સાબિત થશે તેવી આગાહી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.. ગરમી ભુક્કા બોલાવશે તેવી વાત હવામાન વિભાગ તેમજ નિષ્ણાત દ્વારા કરવામાં આવી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ચોમાસાને લઈ, વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.


21મે બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો 

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો.. ગરમીની આગાહીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. કમોસમી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. પાકને મોટા પાયે નુકસાન થયું.. ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ચોમાસાનું આગમન આ વખતે વહેલા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી.. આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તેમણે કહ્યું કે 21 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી રાહત મળશે.. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ચાર દિવસો દરમિયાન વાતાવરણ યથાવત રહેશે.. રાજ્યના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. 45 ડિગ્રી આસપાસ પારો પહોંચવા આવ્યો છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાપમાનનો પારો 21 તારીખ સુધી યથાવત રહી શકે છે અને તે બાદ હવામાનમાં પલટો આવશે.. 4 જૂન બાદ વરસાદ આવી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી

મહત્વનું છે કે ના માત્ર ગુજરાતનું તાપમાન વધી રહ્યું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે.. તાપમાનનો પારો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું લાગે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. ત્યારે તમે પણ ઘરની બહાર ત્યારે જ નીકળજો જો ખૂબ જરૂરી કામ હોય.. ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, પોતાની બોડીને હાઈડ્રેટેડ રાખવી જોઈએ.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.