વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, જાણો ક્યારે થશે સમગ્ર રાજ્યમાં વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-20 18:59:47

વરસાદની રાહ ક્યારની જોવાઈ રહી છે. વરસાદ ક્યારે આવે અને ગરમીથી ક્યારે રાહત મળે તેની ઈંતેઝારી દરેકને છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો. ચોમાસાની એન્ટ્રી સાથે જ ચોમાસુ નબળું પડી ગયું. હવામાન વિભાગ દ્વારા તો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે પંરતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે.



શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ 24થી 26મી જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવાય વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે. 


23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે. 



ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો 

મહત્વનું છે કે વરસાદ ખેંચાવાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી, વરસાદ સારો આવશે અને તેમની પરિસ્થિતિ સુધરશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તે સિવાય ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉકળાટ તેમજ બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.