ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, જણાવ્યું આ તારીખો દરમિયાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2024-05-24 16:52:13

ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.. ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..26 તારીખ સુધી તો ગરમીથી રાહત નહીં મળે તેવી વાત હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે. 26 તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર 8થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.

અનેક ભાગો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ 

ચોમાસાને લઈ જ્યારે આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે બે આગાહી પર ધ્યાન આપવામાં આવે છે. એક છે હવામાન વિભાગની આગાહી અને બીજી આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી...આ વખતની ગરમી ભૂક્કા બોલાવશે તેવી વાત ઘણા સમયથી કરવામાં આવી હતી અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. તાપમાનનો પારો 47 નજીક પહોંચવા આવ્યો છે. અનેક ભાગો માટે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે..


8થી 14 જૂન વચ્ચે રાજ્યમાં બેસશે ચોમાસું - અંબાલાલ કાકા 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ થશે.. આપણા રાજ્યમાં 8થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે.. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ આવશે.. 21 તેમજ 22 જૂનમાં આંધી વંટોળ વધારે રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.. ગરમીથી ક્યારે રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .