ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, જણાવ્યું આ તારીખો દરમિયાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2024-05-24 16:52:13

ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.. ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..26 તારીખ સુધી તો ગરમીથી રાહત નહીં મળે તેવી વાત હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે. 26 તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર 8થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.

અનેક ભાગો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ 

ચોમાસાને લઈ જ્યારે આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે બે આગાહી પર ધ્યાન આપવામાં આવે છે. એક છે હવામાન વિભાગની આગાહી અને બીજી આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી...આ વખતની ગરમી ભૂક્કા બોલાવશે તેવી વાત ઘણા સમયથી કરવામાં આવી હતી અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. તાપમાનનો પારો 47 નજીક પહોંચવા આવ્યો છે. અનેક ભાગો માટે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે..


8થી 14 જૂન વચ્ચે રાજ્યમાં બેસશે ચોમાસું - અંબાલાલ કાકા 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ થશે.. આપણા રાજ્યમાં 8થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે.. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ આવશે.. 21 તેમજ 22 જૂનમાં આંધી વંટોળ વધારે રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.. ગરમીથી ક્યારે રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.      



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે