ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, જણાવ્યું આ તારીખો દરમિયાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2024-05-24 16:52:13

ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.. ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..26 તારીખ સુધી તો ગરમીથી રાહત નહીં મળે તેવી વાત હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે. 26 તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર 8થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.

અનેક ભાગો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ 

ચોમાસાને લઈ જ્યારે આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે બે આગાહી પર ધ્યાન આપવામાં આવે છે. એક છે હવામાન વિભાગની આગાહી અને બીજી આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી...આ વખતની ગરમી ભૂક્કા બોલાવશે તેવી વાત ઘણા સમયથી કરવામાં આવી હતી અને તે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. તાપમાનનો પારો 47 નજીક પહોંચવા આવ્યો છે. અનેક ભાગો માટે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે..


8થી 14 જૂન વચ્ચે રાજ્યમાં બેસશે ચોમાસું - અંબાલાલ કાકા 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ થશે.. આપણા રાજ્યમાં 8થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે.. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ આવશે.. 21 તેમજ 22 જૂનમાં આંધી વંટોળ વધારે રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મહત્વનું છે કે ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.. ગરમીથી ક્યારે રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે