વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારે અને ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-24 17:18:01

ઉનાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્ચો હતો. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


અંબાલાલ પટેલે કરી આગાહી!

રાજ્યના અનેક શહેરોમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ તારીખે વરસી શકે છે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં હલચલ થતાં કમોસમી વરસાદ વરસી શકે છે. થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  


અનેક શહેરોમાં રહેશે વાદળછાયું વાતાવરણ! 

હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પશ્ચિમ દિશા તરફથી પવન વહેવાને કારણે ભેજ વાળું વાતાવરણ રહેશે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેને કારણે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થવાની સંભાવના છે. તે સિવાય માછીમારોને પણ આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.