વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારે અને ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-24 17:18:01

ઉનાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્ચો હતો. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


અંબાલાલ પટેલે કરી આગાહી!

રાજ્યના અનેક શહેરોમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ તારીખે વરસી શકે છે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં હલચલ થતાં કમોસમી વરસાદ વરસી શકે છે. થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  


અનેક શહેરોમાં રહેશે વાદળછાયું વાતાવરણ! 

હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પશ્ચિમ દિશા તરફથી પવન વહેવાને કારણે ભેજ વાળું વાતાવરણ રહેશે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેને કારણે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થવાની સંભાવના છે. તે સિવાય માછીમારોને પણ આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .