વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારે અને ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-24 17:18:01

ઉનાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્ચો હતો. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


અંબાલાલ પટેલે કરી આગાહી!

રાજ્યના અનેક શહેરોમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ તારીખે વરસી શકે છે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં હલચલ થતાં કમોસમી વરસાદ વરસી શકે છે. થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  


અનેક શહેરોમાં રહેશે વાદળછાયું વાતાવરણ! 

હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પશ્ચિમ દિશા તરફથી પવન વહેવાને કારણે ભેજ વાળું વાતાવરણ રહેશે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેને કારણે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થવાની સંભાવના છે. તે સિવાય માછીમારોને પણ આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.