ઠંડીને લઈ હવામાન નિષ્ણાતે કરી મોટી વાત, ડિસેમ્બરના અંતમાં પડશે કડકડતી ઠંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:21:43

ગુજરાતમાં અનેક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે ઠંડીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે. 

કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા

આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારૂ રહ્યું છે, 100 ટકાથી વધારે વરસાદ આ વર્ષે વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદે વિદાય લેતા ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. 

Gujarat winter Ambalal Patel weather forecast December 2020 – News18  Gujarati

ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડક

કમોસમી વરસાદને કારણે આ સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે આ વર્ષે પડનારી ઠંડીનું મોજું લાંબું ચાલશે. મહત્વનું છે કે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડી પડવાને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. આ વખતે ગુજરાતવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે