ઠંડીને લઈ હવામાન નિષ્ણાતે કરી મોટી વાત, ડિસેમ્બરના અંતમાં પડશે કડકડતી ઠંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:21:43

ગુજરાતમાં અનેક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે ઠંડીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે. 

કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા

આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારૂ રહ્યું છે, 100 ટકાથી વધારે વરસાદ આ વર્ષે વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદે વિદાય લેતા ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. 

Gujarat winter Ambalal Patel weather forecast December 2020 – News18  Gujarati

ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડક

કમોસમી વરસાદને કારણે આ સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે આ વર્ષે પડનારી ઠંડીનું મોજું લાંબું ચાલશે. મહત્વનું છે કે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડી પડવાને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. આ વખતે ગુજરાતવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.