ઠંડીને લઈ હવામાન નિષ્ણાતે કરી મોટી વાત, ડિસેમ્બરના અંતમાં પડશે કડકડતી ઠંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:21:43

ગુજરાતમાં અનેક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે ઠંડીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે. 

કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા

આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારૂ રહ્યું છે, 100 ટકાથી વધારે વરસાદ આ વર્ષે વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદે વિદાય લેતા ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. 

Gujarat winter Ambalal Patel weather forecast December 2020 – News18  Gujarati

ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડક

કમોસમી વરસાદને કારણે આ સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે આ વર્ષે પડનારી ઠંડીનું મોજું લાંબું ચાલશે. મહત્વનું છે કે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડી પડવાને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. આ વખતે ગુજરાતવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.