ઠંડીને લઈ હવામાન નિષ્ણાતે કરી મોટી વાત, ડિસેમ્બરના અંતમાં પડશે કડકડતી ઠંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:21:43

ગુજરાતમાં અનેક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે ઠંડીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે. 

કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા

આ વર્ષે રાજ્યમાં ચોમાસુ ઘણું સારૂ રહ્યું છે, 100 ટકાથી વધારે વરસાદ આ વર્ષે વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદે વિદાય લેતા ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. 

Gujarat winter Ambalal Patel weather forecast December 2020 – News18  Gujarati

ડિસેમ્બરમાં પડશે કડકડતી ઠંડક

કમોસમી વરસાદને કારણે આ સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે આ વર્ષે પડનારી ઠંડીનું મોજું લાંબું ચાલશે. મહત્વનું છે કે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય છે ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડી પડવાને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. આ વખતે ગુજરાતવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.