હવામાન નિષ્ણાતોએ જણાવ્યું ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ? વરસાદને લઈ Ambalal Patelએ અને Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-31 16:02:19

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. ચોમાસાની પહેલા પણ બિપોરજોય વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે વખતે પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં 100 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આવનાર મહિનામાં એટલે કે ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. Weather expert Paresh Goswamiની આગાહી મુજબ ઓગસ્ટમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી ઉકળાટ રહેવાની પણ સંભાવનાઓ છે.  

ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ!

અનેક જિલ્લાઓમાં વરસાદની અતિશયોક્તિ થઈ છે. અષાઢમાં મેઘો અનરાધાર વરસ્યો હતો ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદનું આવું સ્વરૂપ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનાર દિવસોમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી તેમજ બફારાનું પ્રમાણ પણ વધારે રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં આટલો ભારે વરસાદ પડવા છતાંય ગરમી અનુભવાઈ રહી છે. જેવી ગરમીનો અહેસાસ જૂન મહિનામાં થવો જોઈએ તેવી ગરમીનો અહેસાસ જુલાઈ મહિનામાં થયો છે. આ વર્ષે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરને કારણે થઈ છે. અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી બની. 10 ઓગસ્ટ સુધી ગરમી તેમજ ઉકળાટનો અનુભવ સહન કરવો પડી શકે છે.  


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદને લઈ આગાહી 

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. Ambalal Patelના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં એકબાદ એક અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે વરસાદ વરસવાની સંભાવના છે. પવન પણ ફૂંકાઈ શકે છે. 

આ જગ્યાઓ પર થઈ શકે છે મેઘમહેર 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં, બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે નવા નીરની આવક થઈ છે અને ડેમો પાણીથી ભરાયેલા દેખાય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.