હવામાન નિષ્ણાતોએ જણાવ્યું ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ? વરસાદને લઈ Ambalal Patelએ અને Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-31 16:02:19

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. ચોમાસાની પહેલા પણ બિપોરજોય વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે વખતે પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં 100 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આવનાર મહિનામાં એટલે કે ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. Weather expert Paresh Goswamiની આગાહી મુજબ ઓગસ્ટમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી ઉકળાટ રહેવાની પણ સંભાવનાઓ છે.  

ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ!

અનેક જિલ્લાઓમાં વરસાદની અતિશયોક્તિ થઈ છે. અષાઢમાં મેઘો અનરાધાર વરસ્યો હતો ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદનું આવું સ્વરૂપ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનાર દિવસોમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી તેમજ બફારાનું પ્રમાણ પણ વધારે રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં આટલો ભારે વરસાદ પડવા છતાંય ગરમી અનુભવાઈ રહી છે. જેવી ગરમીનો અહેસાસ જૂન મહિનામાં થવો જોઈએ તેવી ગરમીનો અહેસાસ જુલાઈ મહિનામાં થયો છે. આ વર્ષે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરને કારણે થઈ છે. અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી બની. 10 ઓગસ્ટ સુધી ગરમી તેમજ ઉકળાટનો અનુભવ સહન કરવો પડી શકે છે.  


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદને લઈ આગાહી 

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. Ambalal Patelના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં એકબાદ એક અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે વરસાદ વરસવાની સંભાવના છે. પવન પણ ફૂંકાઈ શકે છે. 

આ જગ્યાઓ પર થઈ શકે છે મેઘમહેર 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં, બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે નવા નીરની આવક થઈ છે અને ડેમો પાણીથી ભરાયેલા દેખાય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.