Weather Forecast : રાજ્યના આ ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:46:27

ગુજરાતમાં થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી ચાર દિવસમાં અનેક ભાગોનું તાપમાન વધી શકે છે અને ગરમીનો વધારે અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 

News18 Gujarati


મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી!  

થોડા દિવસોથી ગરમીનો પ્રકોપ આપણે સહન કરવો પડી રહ્યો છે... તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ક્યારનો પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે... એપ્રિલ મહિનામાં તો કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો ત્યારે મે મહિનામાં પણ ગરમીનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હિટવેવની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે..

News18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી હિટવેવની આગાહી? 

ગરમી અને હિટવેવ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધું તાપમાન નોંધાયું હતું.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદનું તાપમાન 41.0, ગાંધીનગરનું 40.2, વડોદરાનું તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 37.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..   મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જેને કારણે રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.. હિટવેવની આગાહી થતા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરની બહાર કામ વગર ના નિકળવું.. વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થ લેવા જોઈએ..   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.