Weather Forecast : રાજ્યના આ ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:46:27

ગુજરાતમાં થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી ચાર દિવસમાં અનેક ભાગોનું તાપમાન વધી શકે છે અને ગરમીનો વધારે અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 

News18 Gujarati


મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી!  

થોડા દિવસોથી ગરમીનો પ્રકોપ આપણે સહન કરવો પડી રહ્યો છે... તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ક્યારનો પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે... એપ્રિલ મહિનામાં તો કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો ત્યારે મે મહિનામાં પણ ગરમીનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હિટવેવની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે..

News18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી હિટવેવની આગાહી? 

ગરમી અને હિટવેવ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધું તાપમાન નોંધાયું હતું.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદનું તાપમાન 41.0, ગાંધીનગરનું 40.2, વડોદરાનું તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 37.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..   મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જેને કારણે રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.. હિટવેવની આગાહી થતા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરની બહાર કામ વગર ના નિકળવું.. વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થ લેવા જોઈએ..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.