Weather Forecast : રાજ્યના આ ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:46:27

ગુજરાતમાં થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી ચાર દિવસમાં અનેક ભાગોનું તાપમાન વધી શકે છે અને ગરમીનો વધારે અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 

News18 Gujarati


મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી!  

થોડા દિવસોથી ગરમીનો પ્રકોપ આપણે સહન કરવો પડી રહ્યો છે... તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ક્યારનો પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે... એપ્રિલ મહિનામાં તો કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો ત્યારે મે મહિનામાં પણ ગરમીનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હિટવેવની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે..

News18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી હિટવેવની આગાહી? 

ગરમી અને હિટવેવ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધું તાપમાન નોંધાયું હતું.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદનું તાપમાન 41.0, ગાંધીનગરનું 40.2, વડોદરાનું તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 37.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..   મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જેને કારણે રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.. હિટવેવની આગાહી થતા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરની બહાર કામ વગર ના નિકળવું.. વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થ લેવા જોઈએ..   



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..