Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક ભાગોમાં કમોસમી વરસાદ, ગરમીથી તો રાહત મળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-04-26 10:26:39

એક તરફ રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... આકરી ગરમી થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છુટા છવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. કઈ કઈ જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો તેની વાત કરીએ તો છોટા ઉદેપુર, તાપી, સૌરાષ્ટ્ર,ભાવનગર, દાહોદ, વલસાડ, નવસારીના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે..


હિટવેવની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ, અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર વટાવી ચૂક્યું હતું. આવનારા દિવસોમાં આ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આવનાર દિવસો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ઉનાળાની શરૂઆતમાં પણ માવઠું આવ્યું હતું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એક વખત માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે... 


ક્યાં પડ્યો કમોસમી વરસાદ? 

તાપીના વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું છે. તે ઉપરાંત ભાવનગરના રાજનગર, દેસાઈ નગર જેવા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય દાહોદ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે માવઠાને કારણે ગરમીથી રાહત મળે છે પરંતુ આ જ માવઠાને કારણે  ધરતીપુત્રોની ચિંતા આસમાને પહોંચે છે.. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે....  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.