Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક ભાગોમાં કમોસમી વરસાદ, ગરમીથી તો રાહત મળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-04-26 10:26:39

એક તરફ રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... આકરી ગરમી થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છુટા છવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. કઈ કઈ જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો તેની વાત કરીએ તો છોટા ઉદેપુર, તાપી, સૌરાષ્ટ્ર,ભાવનગર, દાહોદ, વલસાડ, નવસારીના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે..


હિટવેવની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ, અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર વટાવી ચૂક્યું હતું. આવનારા દિવસોમાં આ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આવનાર દિવસો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ઉનાળાની શરૂઆતમાં પણ માવઠું આવ્યું હતું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એક વખત માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે... 


ક્યાં પડ્યો કમોસમી વરસાદ? 

તાપીના વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું છે. તે ઉપરાંત ભાવનગરના રાજનગર, દેસાઈ નગર જેવા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય દાહોદ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે માવઠાને કારણે ગરમીથી રાહત મળે છે પરંતુ આ જ માવઠાને કારણે  ધરતીપુત્રોની ચિંતા આસમાને પહોંચે છે.. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે....  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.