Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક ભાગોમાં કમોસમી વરસાદ, ગરમીથી તો રાહત મળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-04-26 10:26:39

એક તરફ રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... આકરી ગરમી થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છુટા છવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. કઈ કઈ જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો તેની વાત કરીએ તો છોટા ઉદેપુર, તાપી, સૌરાષ્ટ્ર,ભાવનગર, દાહોદ, વલસાડ, નવસારીના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે..


હિટવેવની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ, અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર વટાવી ચૂક્યું હતું. આવનારા દિવસોમાં આ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આવનાર દિવસો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ઉનાળાની શરૂઆતમાં પણ માવઠું આવ્યું હતું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એક વખત માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે... 


ક્યાં પડ્યો કમોસમી વરસાદ? 

તાપીના વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું છે. તે ઉપરાંત ભાવનગરના રાજનગર, દેસાઈ નગર જેવા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય દાહોદ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે માવઠાને કારણે ગરમીથી રાહત મળે છે પરંતુ આ જ માવઠાને કારણે  ધરતીપુત્રોની ચિંતા આસમાને પહોંચે છે.. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે....  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે