Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક ભાગોમાં કમોસમી વરસાદ, ગરમીથી તો રાહત મળી પરંતુ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 10:26:39

એક તરફ રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... આકરી ગરમી થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છુટા છવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. કઈ કઈ જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો તેની વાત કરીએ તો છોટા ઉદેપુર, તાપી, સૌરાષ્ટ્ર,ભાવનગર, દાહોદ, વલસાડ, નવસારીના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે..


હિટવેવની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ, અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર વટાવી ચૂક્યું હતું. આવનારા દિવસોમાં આ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આવનાર દિવસો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ઉનાળાની શરૂઆતમાં પણ માવઠું આવ્યું હતું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એક વખત માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે... 


ક્યાં પડ્યો કમોસમી વરસાદ? 

તાપીના વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું છે. તે ઉપરાંત ભાવનગરના રાજનગર, દેસાઈ નગર જેવા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય દાહોદ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે માવઠાને કારણે ગરમીથી રાહત મળે છે પરંતુ આ જ માવઠાને કારણે  ધરતીપુત્રોની ચિંતા આસમાને પહોંચે છે.. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે....  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.