હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો થશે ઘટાડો, 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


  • Published By :
  • Published Date : 2023-05-23 16:01:46

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે ત્યારે લોકો હવે આ આગઝરતી ગરમીથી ક્યારે રાહત મલશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહીથી લોકોને ચોક્ક્સપણે રાહતની અનુભૂતિ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે. 


તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. તાપમાનમાં  લગભગ 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. 


30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


સમગ્ર રાજ્યમાં આવતીકાલથી સુસવાટા મારતા પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઈ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.