Weather Update - Gujarat પર હવે માવઠાનો ખતરો? રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, જાણો તમારા વિસ્તાર માટે કરાઈ છે વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-10-19 17:58:23

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે... અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યું છે.. આજ માટે કરેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે... આગામી બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. 


ક્યાં માટે આપવામાં આવી આગાહી?

આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી. ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અડધા ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..



ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં વરસી શકે છે વરસાદ 

એન્ટી સાયક્લોનને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે..એન્ટી સાયક્લોન બનવાને કારણે વાતાવરણમાં રહેલો ભેજ ત્યાં ખેંચાય છે જેને કારણે વરસાદની શક્યતાઓ વધી જાય છે.. ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસી શકે છે.. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. અરબ સાગરમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે.. 


જગતના તાત પર વરસાદની પડી સૌથી ખરાબ અસર 

એક સમય હતો જ્યારે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા.. પરંતુ હવે સમય એવો આવ્યો છે કે વરસાદ ક્યારે વિદાય લેશે તેનો વિચાર કરાઈ રહ્યો છે.. વધારે વરસાદ પડવાની સૌથી માઠી અસર ખેડૂતોને પડી છે.. ખેતરોમાં રહેલા પાક નિષ્ફળ ગયા છે.. ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.. ખેડૂતોની માગ છે કે સરકાર જલ્દી નુકસાનીનો સર્વે કરાવે અને તેમને સહાય આપે.. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર સર્વે ક્યારે કરે છે અને ખેડૂતોને સહાય ક્યારે મળે છે..    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.