Weather Update - Gujarat પર હવે માવઠાનો ખતરો? રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, જાણો તમારા વિસ્તાર માટે કરાઈ છે વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-10-19 17:58:23

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે... અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યું છે.. આજ માટે કરેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે... આગામી બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. 


ક્યાં માટે આપવામાં આવી આગાહી?

આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી. ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અડધા ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..



ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં વરસી શકે છે વરસાદ 

એન્ટી સાયક્લોનને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે..એન્ટી સાયક્લોન બનવાને કારણે વાતાવરણમાં રહેલો ભેજ ત્યાં ખેંચાય છે જેને કારણે વરસાદની શક્યતાઓ વધી જાય છે.. ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસી શકે છે.. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. અરબ સાગરમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે.. 


જગતના તાત પર વરસાદની પડી સૌથી ખરાબ અસર 

એક સમય હતો જ્યારે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા.. પરંતુ હવે સમય એવો આવ્યો છે કે વરસાદ ક્યારે વિદાય લેશે તેનો વિચાર કરાઈ રહ્યો છે.. વધારે વરસાદ પડવાની સૌથી માઠી અસર ખેડૂતોને પડી છે.. ખેતરોમાં રહેલા પાક નિષ્ફળ ગયા છે.. ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.. ખેડૂતોની માગ છે કે સરકાર જલ્દી નુકસાનીનો સર્વે કરાવે અને તેમને સહાય આપે.. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર સર્વે ક્યારે કરે છે અને ખેડૂતોને સહાય ક્યારે મળે છે..    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.