Weather Update - Gujarat પર હવે માવઠાનો ખતરો? રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, જાણો તમારા વિસ્તાર માટે કરાઈ છે વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-10-19 17:58:23

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે... અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યું છે.. આજ માટે કરેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે... આગામી બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. 


ક્યાં માટે આપવામાં આવી આગાહી?

આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી. ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અડધા ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..



ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં વરસી શકે છે વરસાદ 

એન્ટી સાયક્લોનને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે..એન્ટી સાયક્લોન બનવાને કારણે વાતાવરણમાં રહેલો ભેજ ત્યાં ખેંચાય છે જેને કારણે વરસાદની શક્યતાઓ વધી જાય છે.. ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસી શકે છે.. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. અરબ સાગરમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે.. 


જગતના તાત પર વરસાદની પડી સૌથી ખરાબ અસર 

એક સમય હતો જ્યારે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા.. પરંતુ હવે સમય એવો આવ્યો છે કે વરસાદ ક્યારે વિદાય લેશે તેનો વિચાર કરાઈ રહ્યો છે.. વધારે વરસાદ પડવાની સૌથી માઠી અસર ખેડૂતોને પડી છે.. ખેતરોમાં રહેલા પાક નિષ્ફળ ગયા છે.. ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.. ખેડૂતોની માગ છે કે સરકાર જલ્દી નુકસાનીનો સર્વે કરાવે અને તેમને સહાય આપે.. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર સર્વે ક્યારે કરે છે અને ખેડૂતોને સહાય ક્યારે મળે છે..    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."