Loksabha Election પહેલા BJPમાં વેલકમ પાર્ટી, Arjun modhwadia અને Ambarish Der વિધિવત્ત રીતે થશે ભાજપના! C.R.Patil કરશે પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત


  • Published By :
  • Published Date : 2024-03-05 10:26:54

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે તો બીજી તરફ ભાજપ પક્ષમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષને બે મોટા ફટકા પડ્યા. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. ધારાસભ્યનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ખાતે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. આજે ફરીથી ભરતી મેળો થવાનો છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરવાના છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે. 

Image


પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાઓના સૂર!

પક્ષ પલટો કરવો નેતા માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયમાં અનેક ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરી લીધો છે. જે પાર્ટી માટે પહેલા ખરાબ બોલતા હોય છે તેમના બોલ બીજેપીમાં સામેલ થયા બાદ બદલાઈ જતા હોય છે. જે નીતિઓનો વિરોધ પહેલા કરતા હોય છે તે જ નીતિઓ ભાજપમાં આવ્યા બાદ સારી લાગવા લાગે છે. વિકાસ નથી થયો તેવી વાતો પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ પક્ષ પલટો કર્યા બાદ કેટલો વિકાસ થયો છે તે દેખાવવા લાગે છે. એક જ દિવસમાં જાણે તેમનું હૃદયપરિવર્તન થઈ જતું હોય છે. આ અનેક ઉદાહરણો આપણી સામે છે.. ગિરગિટ પણ વિચારતો હશે કે આટલા જલ્દી તો હું પણ આટલા જલ્દી રંગ નથી જેટલા જલ્દી આ લોકો રંગ બદલે છે! 

Congress MLA Amrish Der demanded an account of his grant | એવું તે શું થયું  કે, કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર વેલમાં ધસી ગયા

મોઢવાડિયા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ પર એવાં બગડ્યાં, રાહુલ-સોનિયા ગાંધીની  ઊંઘ ઉડી જશે | Congress leader arjun modhwadia tweet controversy National  Congress leaders

બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયો કરશે ધારણ!

ચૂંટણી પહેલા પક્ષ પલટોની મૌસમ પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા સમયથી અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યો પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પછી કેસરિયો ધારણ કરે છે. ભાજપમાં વેલકમ પાર્ટી થવી સામાન્ય થઈ જઈ ગયું છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે બે પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.