Loksabha Election પહેલા BJPમાં વેલકમ પાર્ટી, Arjun modhwadia અને Ambarish Der વિધિવત્ત રીતે થશે ભાજપના! C.R.Patil કરશે પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 10:26:54

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે તો બીજી તરફ ભાજપ પક્ષમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષને બે મોટા ફટકા પડ્યા. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. ધારાસભ્યનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ખાતે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. આજે ફરીથી ભરતી મેળો થવાનો છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરવાના છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે. 

Image


પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાઓના સૂર!

પક્ષ પલટો કરવો નેતા માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયમાં અનેક ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરી લીધો છે. જે પાર્ટી માટે પહેલા ખરાબ બોલતા હોય છે તેમના બોલ બીજેપીમાં સામેલ થયા બાદ બદલાઈ જતા હોય છે. જે નીતિઓનો વિરોધ પહેલા કરતા હોય છે તે જ નીતિઓ ભાજપમાં આવ્યા બાદ સારી લાગવા લાગે છે. વિકાસ નથી થયો તેવી વાતો પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ પક્ષ પલટો કર્યા બાદ કેટલો વિકાસ થયો છે તે દેખાવવા લાગે છે. એક જ દિવસમાં જાણે તેમનું હૃદયપરિવર્તન થઈ જતું હોય છે. આ અનેક ઉદાહરણો આપણી સામે છે.. ગિરગિટ પણ વિચારતો હશે કે આટલા જલ્દી તો હું પણ આટલા જલ્દી રંગ નથી જેટલા જલ્દી આ લોકો રંગ બદલે છે! 

Congress MLA Amrish Der demanded an account of his grant | એવું તે શું થયું  કે, કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર વેલમાં ધસી ગયા

મોઢવાડિયા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ પર એવાં બગડ્યાં, રાહુલ-સોનિયા ગાંધીની  ઊંઘ ઉડી જશે | Congress leader arjun modhwadia tweet controversy National  Congress leaders

બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયો કરશે ધારણ!

ચૂંટણી પહેલા પક્ષ પલટોની મૌસમ પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા સમયથી અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યો પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પછી કેસરિયો ધારણ કરે છે. ભાજપમાં વેલકમ પાર્ટી થવી સામાન્ય થઈ જઈ ગયું છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે બે પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે. 



ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.