પૃથ્વી પર "વેલકમ" વિલિયમ્સ.. 286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર પાછા!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-19 10:33:43

286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી થઈ ગઈ છે . માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે.  અવકાશમાં 9 મહિનાનો લાંબો સમય વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતીય સમય અનુસાર, સવારે 3:27 વાગ્યે, સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈને મેક્સિકોની ખાડીમાં ઉતર્યું. આના થોડા સમય પછી, હસતાં હસતાં  સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાંથી બહાર આવ્યા . 


7 મિનિટ સુધી સંપર્ક તૂટયો ને.. 
ચાર અવકાશયાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં ડ્રેગન અવકાશયાન 19 માર્ચે બપોરે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું..  વ્હાઇટ હાઉસે અવકાશયાત્રીઓના પરત ફરવા પર ઇલોન મસ્કની પ્રશંસા કરી છે. મંગળવારે X પર પોસ્ટ કરતાં લખ્યું વચન આપ્યું, વચન પાળ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓ અમેરિકાના સુરક્ષિત રીતે ઉતર્યા છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર!


કેમ 9 મહિના અવકાશમાં રહેવું પડ્યું?

થયું શું હતું તો ....ગયા વર્ષે જૂનમાં, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવામાં આવ્યા હતા. બંનેને ત્યાં ફક્ત ૮ દિવસ રોકાવાનું હતું. બંને અવકાશયાનની સલામતી તપાસવા ગયા હતા. જોકે પ્રોપલ્શન નિષ્ફળતાના પરિણામે મિશન નિષ્ફળ ગયું અને અવકાશયાનને કોઈપણ મુસાફરો વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું. આ પછી બંને અવકાશમાં ફસાયેલા રહ્યા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .