પૃથ્વી પર "વેલકમ" વિલિયમ્સ.. 286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર પાછા!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-19 10:33:43

286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી થઈ ગઈ છે . માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે.  અવકાશમાં 9 મહિનાનો લાંબો સમય વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતીય સમય અનુસાર, સવારે 3:27 વાગ્યે, સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈને મેક્સિકોની ખાડીમાં ઉતર્યું. આના થોડા સમય પછી, હસતાં હસતાં  સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાંથી બહાર આવ્યા . 


7 મિનિટ સુધી સંપર્ક તૂટયો ને.. 
ચાર અવકાશયાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં ડ્રેગન અવકાશયાન 19 માર્ચે બપોરે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું..  વ્હાઇટ હાઉસે અવકાશયાત્રીઓના પરત ફરવા પર ઇલોન મસ્કની પ્રશંસા કરી છે. મંગળવારે X પર પોસ્ટ કરતાં લખ્યું વચન આપ્યું, વચન પાળ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓ અમેરિકાના સુરક્ષિત રીતે ઉતર્યા છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર!


કેમ 9 મહિના અવકાશમાં રહેવું પડ્યું?

થયું શું હતું તો ....ગયા વર્ષે જૂનમાં, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવામાં આવ્યા હતા. બંનેને ત્યાં ફક્ત ૮ દિવસ રોકાવાનું હતું. બંને અવકાશયાનની સલામતી તપાસવા ગયા હતા. જોકે પ્રોપલ્શન નિષ્ફળતાના પરિણામે મિશન નિષ્ફળ ગયું અને અવકાશયાનને કોઈપણ મુસાફરો વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું. આ પછી બંને અવકાશમાં ફસાયેલા રહ્યા.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે