બંગાળમાં હિંસા મામલે હાઈકોર્ટે મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, ભાજપે મુસ્લિમ તુષ્ટીકરણનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-04-03 16:37:54

કોલકત્તા હાઈકોર્ટે આજ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે બુધવાર 5 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. બીજી  તરફ ભાજપાની શોભાયાત્રા દરમિયાન હુગલીમાં થયેલી હિંસાને લઈને ભાજપા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ સરકાર વિરૂધ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે. 


પોલીસ પાસે માગ્યો રિપોર્ટ


ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ તથા ન્યાયમૂર્તિ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોલીસને સીસીટીવી જમા કરાવવાના આદેશ આપ્યા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં થયેલી ધરપકડો અંગે એક રિપોર્ટ સાથે હિંસા દરમિયાનના ફૂટેજ પણ માગ્યા છે.  


BJP નેતાએ કરી તપાસની માગ


શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક લોકહિતની અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરૂવારે થયેલી હિંસાની ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કેન્દ્રિય દળો તૈનાત કરવાની પણ માગ કરી હતી. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.