બંગાળમાં હિંસા મામલે હાઈકોર્ટે મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, ભાજપે મુસ્લિમ તુષ્ટીકરણનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-04-03 16:37:54

કોલકત્તા હાઈકોર્ટે આજ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે બુધવાર 5 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. બીજી  તરફ ભાજપાની શોભાયાત્રા દરમિયાન હુગલીમાં થયેલી હિંસાને લઈને ભાજપા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ સરકાર વિરૂધ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે. 


પોલીસ પાસે માગ્યો રિપોર્ટ


ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ તથા ન્યાયમૂર્તિ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોલીસને સીસીટીવી જમા કરાવવાના આદેશ આપ્યા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં થયેલી ધરપકડો અંગે એક રિપોર્ટ સાથે હિંસા દરમિયાનના ફૂટેજ પણ માગ્યા છે.  


BJP નેતાએ કરી તપાસની માગ


શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક લોકહિતની અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરૂવારે થયેલી હિંસાની ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કેન્દ્રિય દળો તૈનાત કરવાની પણ માગ કરી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.