બિપોરજોય ચક્રવાતના પગલે વેસ્ટર્ન રેલવેની 100 ટ્રેનો ટ્રેનો રદ્દ, 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-16 20:36:50

ગુજરાત પર ત્રાટકેલુ વિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતુ હવે આ ચક્રવાત રાજસ્થાન તરફ ફંટાયું છે. આ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને વ્યાપક અસર થઈ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત સેક્ટર પર લગભગ 180 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું કે, આજે વધુ બે ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેનનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, તો બે ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. 


કેટલીક ટ્રેનો રદ્દ તો અન્યને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 100 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેનનો શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. મુસાફરોને નિયમ અનુસાર ટિકિટનું રિફંડ આપવામાં આવશે. રદ્દ થયેલી ટ્રેનોમાં 16 જૂનના રોજની પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન, તે ઉપરાંત શ્રી માતા વૈષ્ણેદેવી-કટરા અને ગાંધીધામ વચ્ચે દોડતી સર્વોદર એક્સપ્રેસ (12474) ટ્રેનને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ભૂજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન (09456), જે પહેલા રદ્દ કરવામાં આવી હતી, તે ગાંધીધામથી શૉર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે સર્વોદય એક્સપ્રેસ (12473) હવે શનિવારે 17 જૂનના રોજ અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે. તે જ રીતે 17મી તારીખ શનિવારની વાત કરીએ તો, ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામની જગ્યાએ અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.