બિપોરજોય ચક્રવાતના પગલે વેસ્ટર્ન રેલવેની 100 ટ્રેનો ટ્રેનો રદ્દ, 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-16 20:36:50

ગુજરાત પર ત્રાટકેલુ વિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતુ હવે આ ચક્રવાત રાજસ્થાન તરફ ફંટાયું છે. આ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને વ્યાપક અસર થઈ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત સેક્ટર પર લગભગ 180 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું કે, આજે વધુ બે ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેનનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, તો બે ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. 


કેટલીક ટ્રેનો રદ્દ તો અન્યને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 100 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેનનો શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. મુસાફરોને નિયમ અનુસાર ટિકિટનું રિફંડ આપવામાં આવશે. રદ્દ થયેલી ટ્રેનોમાં 16 જૂનના રોજની પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન, તે ઉપરાંત શ્રી માતા વૈષ્ણેદેવી-કટરા અને ગાંધીધામ વચ્ચે દોડતી સર્વોદર એક્સપ્રેસ (12474) ટ્રેનને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ભૂજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન (09456), જે પહેલા રદ્દ કરવામાં આવી હતી, તે ગાંધીધામથી શૉર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે સર્વોદય એક્સપ્રેસ (12473) હવે શનિવારે 17 જૂનના રોજ અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે. તે જ રીતે 17મી તારીખ શનિવારની વાત કરીએ તો, ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામની જગ્યાએ અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.