C R પાટીલે આ ઉમેદવારોને લઈને શું મોટું નિવેદન આપ્યું ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-30 18:17:47


ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા જ સમયમાં જાહેર થશે  તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી. આ અંગે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે એમ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોતની શુભેચ્છા મુલાકાત હતી એમ પણ જણાવ્યું હતું.


શું કહ્યું c r પાટિલે ???


સી આર પાટિલે પોતાના કાર્યકર્તાઓ માટે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. જે પાર્ટીની જીતવાની તક ઉજળી હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ આવતા હોય છે. અમે તેમને આવકારીએ છીએ. સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી.


વધુમાં સી આર પાટીલે કહ્યું છે ભાજપના નેતાઓ બેઠક બદલી દાવેદારી નોંધાવતા હોય છે તે ક્યાંથી ચૂંટણી લડશે એ મુદ્દે પણ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઠક બદલીને દાવેદારી નોંધાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.