ચૂંટણીપંચએ શું કર્યો ફેરફાર અને શું છે નવા નિયમો ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:31:55


 

ચૂંટણીપંચએ શું કર્યો ફેરફાર અને શું છે નવા નિયમો ?

 

મફતના વાયદાથી કંટાળેલા ચૂંટણી પંચે હવે કડક પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. હવે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા જે કઈ પણ જાહેરાત કરવામાં આવશે તેની પછાળનો ખર્ચ અને તેની નાણાકીય માહિતી આપવાની રહશે. માત્ર જાહેરાતો કરી દેવાથી કામ નહી ચાલે. અને ચૂંટણી ઢંઢેરામાં તાર્કિક, વ્યવહારીક અને જે યોજના ધરાતલ પર ઉતારી શકાય તેમ હોય તેની જાહેરાત કરે.

 

 

કોને કરી બેઠકો


મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં આયોજીત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ચુંટણીમાં જે ઢંઢેર અને પ્રચારમાં જે જાહેરાત કરી હોય તે વાસ્તવિક અને તાર્કિક હોવી જોઈએ તેવીજ યોજના પાર્ટી જાહેર કરવા રહશે. જેથી હવે નાણામંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક, એફઆરબીએમ, સીએજી વગેરેની ગાઇડલાઇન પર આધારિત હોવી જોઇએ.

 

કોઇ જાહેરાત પાછળ થનારો ખર્ચ ક્યાંથી આવશે તેનો હિસાબ આપવો પડશે.

ચુંટણી પંચ દ્વારા આચારસાહિતામાં પણ અનેક સ્થાળૉએ પરિવર્ત કરવામાં આવ્યા છે. કલમ 3ના પ્રાવધાન અને 8 એમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.જેના કારણે દરેક પક્ષએ ચુંટણી ચૂંટણી ઢંઢેરામાં પોતાની યોજનાઓ અંગે જણાવવાની સાથે સાથે તે યોજના કઇ રીતે લાગુ થશે અને નાણા ક્યાંથી આવશે તેનો હિસાબ પણ આપવો પડશે. ઉપરાંત દરેક પક્ષે ચુંટણી ઢંઢેરો જાહેર કરવો પડસે.

 


મતદારોને થશે ફાયદો ?

ચુંટણી પંચના અનુસાર મતદારો રાજનીતિક પક્ષ વચ્ચે પારદર્શિતા વધશે. રાજનીત પક્ષ દિશામાં ગંભારતાથી વિચારણા કરશે. અને મતદારો વિચારધારાવાળી પાર્ટીને પસંદ કરવાનો મોકો મળશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"