Bharuch Loksabha સીટના ઉમેદવાર Chaitar Vasavaનો પ્રચાર કરવા આવ્યા AAPના સાંસદ સંજયસિંહ, BJP પર પ્રહાર કરતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-27 17:16:09

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે...  આજે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા, ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અમિત શાહ સભાઓને સંબોધી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાત આવેલા છે.. ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવા ઉમેદવાર છે ત્યારે ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં સંજયસિંહ આવ્યા હતા.. સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે...

પાર્ટીના દિગ્ગજ નેતાઓનો ગુજરાતમાં જમાવડો

સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે... જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજનેતાઓની જંગ જનસભાઓના વીડિયો આપણી સામે આવશે... ઉમેદવારોની તેમજ પાર્ટની પ્રશંસા થશે અને વિપક્ષ પર પ્રહાર કરાશે... ગુજરાતની તમામ બેઠકો પર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે આ બેઠક પરથી મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.


ભાજપ પર પ્રહાર કરતા સંજયસિંહે કહ્યું કે.... 

ચૈતર વસાવા અને મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે આપના રાજ્ય સભા સાંસદ સંજયસિંહ ગુજરાત આવ્યા હતા.. જનસભાને સંબોધી ઉપરાંત ભાજપ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે ભરૂચના લોકો 35 વર્ષના ભાજપના શાસનથી અત્યંત નારાજ છે. જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ તેમણે લોકોને હંમેશા ભ્રમિત કરવાનું કામ કર્યું છે....  આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .