કોંગ્રેસનો શું છે ચૂંટણી પ્રચારનો પ્લાન ?? , કેમ પ્રિયંકા ગાંધીએ પ્રચાર કમાન પોતાના હાથમાં લીધી ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:36

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજનીતિમાં કઈક નવું રોજ જોવા મળે છે . અને તમામ પક્ષો જીતવાની પૂરી તૈયારીયો કરી રહ્યા છે. અને દરેક પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ તો ઘણી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. જેમાં રઘુ શર્માએ સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હોવાની માહિતી પણ મળી રહી છે . 


પ્રિયંકા ગાંધીએ ચુંટણી પ્રચારની કમાન હાથમાં લીધી !!!!!


દિવાળી બાદ કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોંગ્રેસ લાભ પાંચમ બાદ ચૂંટણી પ્રચારની શરૂવાત કરી દેશે. ન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે, જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. 


પ્રિયંકા ગાંધી કયા આવશે ???

આગામી દિવસોમાં આણંદ ખાતે કોંગ્રેસનું મહિલા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં પ્રયંકા ગાધી હાજર રહેશે. તો કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવી શકે છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.