કોંગ્રેસનો શું છે ચૂંટણી પ્રચારનો પ્લાન ?? , કેમ પ્રિયંકા ગાંધીએ પ્રચાર કમાન પોતાના હાથમાં લીધી ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:36

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજનીતિમાં કઈક નવું રોજ જોવા મળે છે . અને તમામ પક્ષો જીતવાની પૂરી તૈયારીયો કરી રહ્યા છે. અને દરેક પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ તો ઘણી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. જેમાં રઘુ શર્માએ સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હોવાની માહિતી પણ મળી રહી છે . 


પ્રિયંકા ગાંધીએ ચુંટણી પ્રચારની કમાન હાથમાં લીધી !!!!!


દિવાળી બાદ કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોંગ્રેસ લાભ પાંચમ બાદ ચૂંટણી પ્રચારની શરૂવાત કરી દેશે. ન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે, જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. 


પ્રિયંકા ગાંધી કયા આવશે ???

આગામી દિવસોમાં આણંદ ખાતે કોંગ્રેસનું મહિલા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં પ્રયંકા ગાધી હાજર રહેશે. તો કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવી શકે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.