આ તો કેવો ન્યાય!! નિર્જીવ વસ્તુને નુકસાન થાય તો માલિક વિરૂદ્ધ પગલા લેવાય, પરંતુ કોઈ માણસનો જીવ જાય તો પણ અધિકારી વિરૂદ્ધ પગલા ન લેવાય?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:08:03

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેનને શરૂ થયાને વધુ સમય પણ નથી થયો અને આ ટ્રેનનો ભેંસનો સાથે અકસ્માત થઈ ગયો છે. જેને કારણે ટ્રેનને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના ભેંસોને કારણે સર્જાઈ હોવાને કારણે ભેંસોના માલિક વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભેંસોના માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

Gandhinagar-Mumbai Vande Bharat Express engine damaged after hitting cattle  | Latest News India - Hindustan Times


ટ્રેનને નુકસાન થયું તે તંત્રને દેખાયું પણ ભેંસનું શું, તે તંત્રએ ન વિચાર્યુ? 

ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રેનને તો મોટું નુકસાન થયું છે પરંતુ ભેંસોનું શું? ભેંસોના માલિકને પણ તો નુકસાન થયું છે. ભેંસોના માલિકને વળતર ચૂકવવાની વાત કરવાની તો દુર રહી પરંતુ ભેંસોના માલિકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે જો રખડતા ઢોરને કારણે કોઈ માણસનો જીવ ગયો હોત તો શું જવાબદાર અધિકારી વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ? ટ્રેનની બદલીમાં કોઈ માનવનો જીવ ગયો હોત શું તંત્ર આવી ત્વરિત કાર્યવાહી કરતી? સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો જો ગયો હોત તો તંત્ર આ વાત પર કેટલી સહાનુભૂતિ રાખત તે એક પ્રશ્ન છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.