આ તો કેવો ન્યાય!! નિર્જીવ વસ્તુને નુકસાન થાય તો માલિક વિરૂદ્ધ પગલા લેવાય, પરંતુ કોઈ માણસનો જીવ જાય તો પણ અધિકારી વિરૂદ્ધ પગલા ન લેવાય?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:08:03

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેનને શરૂ થયાને વધુ સમય પણ નથી થયો અને આ ટ્રેનનો ભેંસનો સાથે અકસ્માત થઈ ગયો છે. જેને કારણે ટ્રેનને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના ભેંસોને કારણે સર્જાઈ હોવાને કારણે ભેંસોના માલિક વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભેંસોના માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

Gandhinagar-Mumbai Vande Bharat Express engine damaged after hitting cattle  | Latest News India - Hindustan Times


ટ્રેનને નુકસાન થયું તે તંત્રને દેખાયું પણ ભેંસનું શું, તે તંત્રએ ન વિચાર્યુ? 

ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રેનને તો મોટું નુકસાન થયું છે પરંતુ ભેંસોનું શું? ભેંસોના માલિકને પણ તો નુકસાન થયું છે. ભેંસોના માલિકને વળતર ચૂકવવાની વાત કરવાની તો દુર રહી પરંતુ ભેંસોના માલિકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે જો રખડતા ઢોરને કારણે કોઈ માણસનો જીવ ગયો હોત તો શું જવાબદાર અધિકારી વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ? ટ્રેનની બદલીમાં કોઈ માનવનો જીવ ગયો હોત શું તંત્ર આવી ત્વરિત કાર્યવાહી કરતી? સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો જો ગયો હોત તો તંત્ર આ વાત પર કેટલી સહાનુભૂતિ રાખત તે એક પ્રશ્ન છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે