કેજરીવાલએ આ શું નવું કહ્યું ? "BJP એ અમને ગુજરાત છોડી દેવા ઑફર આપી હતી કે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 18:06:52


આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે એક ટીવી શૉ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન મામલે કહ્યું કે, 'અમારી પાસે ભાજપની એક ઓફર આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું.' 



"આ તો સુંદર વાર્તાઓ છે "

અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા સત્યેન્દ્ર જૈન પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કહ્યું કે, ઘણા સમય પહેલા સુંદર વાર્તાઓ આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની સુંદર વાર્તાઓ છે. આ બધુ મોરબીમાં થયેલી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ સુંદર વાર્તાઓને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે,'સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના સુધી જેલમાં રાખો. તમે અમને તોડી નહીં શકો.' 


ભાજપ પર કર્યા પ્રહાર 

ચૂંટણીની ચર્ચાઑમાં અરવિંદ કેજરીવાલએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું જો ભાજપે અહીં કામ કર્યું હોત તો 27 વર્ષ પછી અમને ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારનો એક ભાગ બનીને જવાબદારી નિભાવીશ.




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .