કેજરીવાલએ આ શું નવું કહ્યું ? "BJP એ અમને ગુજરાત છોડી દેવા ઑફર આપી હતી કે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 18:06:52


આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે એક ટીવી શૉ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન મામલે કહ્યું કે, 'અમારી પાસે ભાજપની એક ઓફર આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું.' 



"આ તો સુંદર વાર્તાઓ છે "

અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા સત્યેન્દ્ર જૈન પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કહ્યું કે, ઘણા સમય પહેલા સુંદર વાર્તાઓ આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની સુંદર વાર્તાઓ છે. આ બધુ મોરબીમાં થયેલી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ સુંદર વાર્તાઓને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે,'સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના સુધી જેલમાં રાખો. તમે અમને તોડી નહીં શકો.' 


ભાજપ પર કર્યા પ્રહાર 

ચૂંટણીની ચર્ચાઑમાં અરવિંદ કેજરીવાલએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું જો ભાજપે અહીં કામ કર્યું હોત તો 27 વર્ષ પછી અમને ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારનો એક ભાગ બનીને જવાબદારી નિભાવીશ.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.