અરવિંદ કેજરીવાલે શું આપી નવી ગેરંટી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 13:21:06

અરવિંદ કેજરીવાલે શું આપી નવી ગેરંટી ?  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૩ દિવસના ગુજરાત પ્રવાસે છે . આજે કેજરીવાલ ગુજરાતને એક નવી ગેરંટી આપવા જઈ રહ્યા છે. તો હવે બધાના મનમાં એક સવાલ થઈ રહ્યોં છે કે હવે કેજરીવાલ કઈ નવી ગેરંટી આપશે. અને હવે કયું ગેરંટી કાર્ડ ફેકશે? ત્યારે આજે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારને લઈ ને કઈ નવી ગેરંટી આપી છે . તેમણે જાહેર કર્યું આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્તે શાસન આપીશું ગુજરાતને

5 નવા વાયદા 

1. અમારો મુખ્યમંત્રી, કોઈપણ મંત્રી, કોઈપણ MLA, સાંસદ કે અધિકારી કોઈને ભ્રષ્ટાચાર નહીં કરવા દઈએ. જે કોઈ ભ્રષ્ટાચાર કરશે તો સીધા જેલમાં જશે.

2. સરકારી ઓફિસમાં દરેક વ્યક્તિનું કામ લાંચ આપ્યા વિના થશે. કોઈપણ વિભાગમાં કોઈ લાંચ આપવાની જરૂર નથી. તમારે સરકારી કચેરીમાં જવાની પણ જરૂર નથી. તમારે કોઈ કામ કરાવવું હોય તો સરકારી કર્મચારી તમારા ઘરે આવીને કામ કરી આપે તેવી વ્યવસ્થા ગોઠવીશું.

3. જેટલા નેતા-મંત્રીઓના કાળા ધંધા ચાલી રહ્યા છે બધા બંધ કરી દેવામાં આવશે.

4. પેપર ફૂટવાનો સીલસીલો બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા તેના બધા કેસ બંધ કરી દીધા આ તમામને ફરી ખોલીશું અને બધાને પકડી પકડીને જેલમાં નાખીશું.

5. હું જેટલીવાર ગુજરાત આવું છું, એટલીવાર લોકો કહે છે મોટું કૌભાંડ થઈ ગયું. જેટલા પણ મોટા-મોટા કૌભાંડ થયા છે તેની તપાસ કરીશું અને એક-એક પૈસાને રિકવર કરવામાં આવશે. 


અરવિંદ કેજરીવાલનો ૩ દિવસ નો કાર્યક્રમ 

ગઇકાલે અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો , પછી  પછી વેપારીઓ અને સાંજે વકીલો સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ચર્ચા કરી હતી. આ બાદ સાંજે તેઓ રીક્ષા ચાલકના આમંત્રણ પર તેના ઘરે જમવા પણ પહોંચ્યા હતા. જે દરમિયાન પોલીસે સાથે પણ તેમની થોડી રકજક થઈ હતી. આજ ના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ aapના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને લોકો આપમાં જોડાશે. આ બાદ સાંજે તેઓ સફાઈ કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો સાંભળી શકે છે અને ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ દિલ્હી જવા માટે રવાના થશે. 

પેહલા આપેલી ગેરંટીઓ 

ગુજરાતમાં જેમ જેમ ચુંટણી નજીક આવે છે. તેમ તેમ દિલ્હીથી મોટા નેતાઓના પ્રવાસ પણ વધતાં ગયા છે. કેજરીવાલ અગાઉ જનતાને ફ્રી વીજળી, રોજગારી, ફ્રી શિક્ષણ અને સારવારની સુવિધા સહિતની અનેક ગેરંટી આપી ચૂક્યા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .