માછીમાર દરિયામાં ગરક થાય અને મૃતદેહ ન મળે તો માછીમારનો પરિવાર શું કરે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 13:10:31

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ખારવા તેમજ ભિડિયા કોળી સમાજના લોકોની પરંપરા
VERAVAL PORT DRONE VIEWS | ONE OF INDIA'S BIGGEST FISHING PORTS - YouTube
વેરાવળ ભીડીયામાં બોટ બને છે અને યાર્ડ પણ આવેલ છે : યાર્ડની ફાઇલ તસ્વીર 

આજના સમયમાં વિવિધ સમાજોમાં અલગ અલગ રીતરિવાજો જોવા મળતા હોય છે અને આજે પણ પરંપરા જળવાયેલી છે. માછીમાર સમાજની વાત કરીએ તો આ પરિવારમાંથી કોઈ વ્યકિત દરિયો ખેડવા જાય અને અકસ્માતે દરિયામાં ગરક થાય તથા તેનો મૃતદેહ ન મળે તો તેનું પૂતળવેલ બનાવી સ્મશાનમાં જઈ અંતિમવિધિ કરાઈ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજ તેમજ ભિડિયા કોળી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય દરિયામાં જ વિતાવતા હોય છે.

પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે


ફિશિંગમાં જતી વખતે પણ ઈષ્ટ દેવને પ્રાર્થના કરી પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે, ફિશિંગ વખતે કુદરતી આફત કે અકસ્માતે કોઈ બનાવ બને અને જો માછીમારનું નિધન થાય બાદમાં મૃતદેહ ન મળે તો પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે. આ અંગે ભિડિયા કોળી સમાજના પટેલ રમેશભાઈ બારિયાએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી. અને ખલાસી રામજીભાઈ નથુભાઈ બારિયાનો પગ લપસી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 10 દિવસ બાદ પણ મૃતદેહ હાથ ન લાગતાં પરિવારે પૂતળવેલ બનાવી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

પંચકમાં દર્ભના પૂતળાનો અગ્નિસંસ્કાર થાય


જો સમાજની કોઈપણ વ્યક્તિનું મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય, પણ એ વખતે પંચકના દિવસો હોય તો એ વ્યક્તિને અગ્નિદાહ વખતે 4 દર્ભનાં પૂતળાં બનાવી તેને પણ સાથે જ અગ્નિદાહ અપાય છે. આની પાછળનું લોજિક એ છે કે જો પંચકના દિવસોમાં કોઇના મૃત્યુ વખતે આમ ના કરાય તો બીજા પાંચનું મૃત્યુ થઈ શકે છે.

પૂતળવેલમાં કેળાંના પાન, ઘઉં અને અડદનો લોટ તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. પૂતળવેલ બરાબર મૃતકના કદ જેવડું જ બને, જેમાં હાથ, પગ, દાંત બનાવાય છે.


સમાજની પરંપરા પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે ફિલ્મ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .