માછીમાર દરિયામાં ગરક થાય અને મૃતદેહ ન મળે તો માછીમારનો પરિવાર શું કરે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 13:10:31

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ખારવા તેમજ ભિડિયા કોળી સમાજના લોકોની પરંપરા
VERAVAL PORT DRONE VIEWS | ONE OF INDIA'S BIGGEST FISHING PORTS - YouTube
વેરાવળ ભીડીયામાં બોટ બને છે અને યાર્ડ પણ આવેલ છે : યાર્ડની ફાઇલ તસ્વીર 

આજના સમયમાં વિવિધ સમાજોમાં અલગ અલગ રીતરિવાજો જોવા મળતા હોય છે અને આજે પણ પરંપરા જળવાયેલી છે. માછીમાર સમાજની વાત કરીએ તો આ પરિવારમાંથી કોઈ વ્યકિત દરિયો ખેડવા જાય અને અકસ્માતે દરિયામાં ગરક થાય તથા તેનો મૃતદેહ ન મળે તો તેનું પૂતળવેલ બનાવી સ્મશાનમાં જઈ અંતિમવિધિ કરાઈ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજ તેમજ ભિડિયા કોળી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય દરિયામાં જ વિતાવતા હોય છે.

પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે


ફિશિંગમાં જતી વખતે પણ ઈષ્ટ દેવને પ્રાર્થના કરી પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે, ફિશિંગ વખતે કુદરતી આફત કે અકસ્માતે કોઈ બનાવ બને અને જો માછીમારનું નિધન થાય બાદમાં મૃતદેહ ન મળે તો પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે. આ અંગે ભિડિયા કોળી સમાજના પટેલ રમેશભાઈ બારિયાએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી. અને ખલાસી રામજીભાઈ નથુભાઈ બારિયાનો પગ લપસી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 10 દિવસ બાદ પણ મૃતદેહ હાથ ન લાગતાં પરિવારે પૂતળવેલ બનાવી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

પંચકમાં દર્ભના પૂતળાનો અગ્નિસંસ્કાર થાય


જો સમાજની કોઈપણ વ્યક્તિનું મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય, પણ એ વખતે પંચકના દિવસો હોય તો એ વ્યક્તિને અગ્નિદાહ વખતે 4 દર્ભનાં પૂતળાં બનાવી તેને પણ સાથે જ અગ્નિદાહ અપાય છે. આની પાછળનું લોજિક એ છે કે જો પંચકના દિવસોમાં કોઇના મૃત્યુ વખતે આમ ના કરાય તો બીજા પાંચનું મૃત્યુ થઈ શકે છે.

પૂતળવેલમાં કેળાંના પાન, ઘઉં અને અડદનો લોટ તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. પૂતળવેલ બરાબર મૃતકના કદ જેવડું જ બને, જેમાં હાથ, પગ, દાંત બનાવાય છે.


સમાજની પરંપરા પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે ફિલ્મ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 


Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.