શું ચર્ચાઑ થઈ ત્રણ દિવસથી ચાલી રહેલી કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:57:17



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો જીતવાની દમખમથી તૈયારીયો કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારો જાહેર કરીને કુલ 73 ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ કાલે પુરી થઈ છે. હવે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોની ફાઈનલ યાદી અંગે ચર્ચાઓ થશે. ત્યાર બાદ દિવાળી પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે.


કેટલા નામ ફાઇનલ થયા છે ??

ગુજરાતની 182 બેઠકો માટે કોંગ્રેસ પાસે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. જેની ચર્ચાઑ સ્કિનિગ કમિટિમાં થઈ છે આ બેઠકમાં 65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે 


કેટલાક ધારાસભ્યો રિપીટ કરવામાં આવશે !!!


જાણવા મળ્યું છે કે કેટલાક વર્તમાન ધારાસભ્યોને રિપીટ પણ કરવામાં આવશે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થવા પહેલા ઉમેદવાર જાહેર કરવાની હોડમાં હતી. પરંતુ હવે કોંગ્રેસ દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરશે. ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યોકે અન્ય નેતાઓની નારાજગી સામે ના આવે તે માટે સાવધાનીપૂર્વક ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.