WhatsAppએ ભારતનો ખોટો નકશો શેર કરવાને લઈ માંફી માંગી, મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઠપકો આપ્યો હતા


  • Published By :
  • Published Date : 2023-01-01 13:25:42

ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દ્વારા ઠપકો આપ્યા બાદ WhatsAppએ માફી માંગી છે. વોટ્સએપે કહ્યું છે કે તે અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશે. વાસ્તવમાં, મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપના આ કૃત્ય માટે વોટ્સએપને ઠપકો આપ્યો હતો અને વીડિયોમાં સુધારો કરવા કહ્યું હતું. અગાઉ પણ, મંત્રીએ ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ ઝૂમના સીઈઓ એરિક યુઆનની ઠપકો આપ્યો હતો.


કેન્દ્રીય મંત્રીએ પ્રતિબંધની ચેતવણી આપી 


કેન્દ્રીય  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મંત્રીરાજીવ ચંદ્રશેખરે વ્હોટ્સએપના વીડિયોનો જવાબ આપતાં કહ્યું, "પ્રિય વ્હોટ્સએપ, તમને ભારતના નકશાની ભૂલને શક્ય તેટલી વહેલી તકે સુધારવાની વિનંતી કરવામાં આવે છે. તમામ પ્લેટફોર્મ કે જ ભારતમાં વેપાર કરે છે અથવા ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તે તમામ પ્લેટફોર્મ્સે ભારતનો સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.


વોટ્સએપે ભૂલ સુધારી


કેન્દ્રીય મંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે ભૂલ સુધારી અને ટ્વીટ કર્યું કે અણધારી ભૂલ દર્શાવવા બદલ આભાર. અમે તરત જ વીડિયો હટાવી દીધો છે, માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.