WhatsAppએ ભારતનો ખોટો નકશો શેર કરવાને લઈ માંફી માંગી, મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઠપકો આપ્યો હતા


  • Published By :
  • Published Date : 2023-01-01 13:25:42

ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દ્વારા ઠપકો આપ્યા બાદ WhatsAppએ માફી માંગી છે. વોટ્સએપે કહ્યું છે કે તે અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશે. વાસ્તવમાં, મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપના આ કૃત્ય માટે વોટ્સએપને ઠપકો આપ્યો હતો અને વીડિયોમાં સુધારો કરવા કહ્યું હતું. અગાઉ પણ, મંત્રીએ ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ ઝૂમના સીઈઓ એરિક યુઆનની ઠપકો આપ્યો હતો.


કેન્દ્રીય મંત્રીએ પ્રતિબંધની ચેતવણી આપી 


કેન્દ્રીય  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મંત્રીરાજીવ ચંદ્રશેખરે વ્હોટ્સએપના વીડિયોનો જવાબ આપતાં કહ્યું, "પ્રિય વ્હોટ્સએપ, તમને ભારતના નકશાની ભૂલને શક્ય તેટલી વહેલી તકે સુધારવાની વિનંતી કરવામાં આવે છે. તમામ પ્લેટફોર્મ કે જ ભારતમાં વેપાર કરે છે અથવા ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તે તમામ પ્લેટફોર્મ્સે ભારતનો સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.


વોટ્સએપે ભૂલ સુધારી


કેન્દ્રીય મંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે ભૂલ સુધારી અને ટ્વીટ કર્યું કે અણધારી ભૂલ દર્શાવવા બદલ આભાર. અમે તરત જ વીડિયો હટાવી દીધો છે, માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.