ઘઉંની મોંઘવારીને નિયંત્રિત કરવા સરકાર વધુ 20 લાખ ટન ઘઉં બજારમાં ઉતારશે


  • Published By :
  • Published Date : 2023-02-21 21:55:25

કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં ઘટાડો કરવા માટે વધારાના 20 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં ઉતારશે. ઘઉં અને લોટના ભાવમાં વધારાને રોકવા માટે કેન્દ્રએ 25 જાન્યુઆરીએ તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાની જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે જાહેર ક્ષેત્રની ખાદ્ય નિગમ ઓફ ઈન્ડિયા (FCI) ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ ખુલ્લા બજારમાં વધારાના 20 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે.


ઘઉંની અછત દુર કરવા પ્રયાસ


આ સ્ટોક ઈ-ઓક્શન દ્વારા ફ્લોર મિલરો/ખાનગી વેપારીઓ/જથ્થાબંધ ખરીદદારો/ઘઉંના ઉત્પાદનોના ઉત્પાદકોને વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘઉં સ્ટોકને ખુલ્લા બજારમાં વેચવાની દરખાસ્ત મંત્રીઓના એક જૂથ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'અત્યાર સુધી OMSS હેઠળ 50 લાખ ટન (30+20 લાખ ટન) ઘઉંને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 લાખ ટન ઘઉંના વધારાના વેચાણ સાથે અનામત કિંમતમાં ઘટાડો ગ્રાહકો માટે ઘઉં અને ઘઉંના ઉત્પાદનોની બજાર કિંમત ઘટાડવામાં સામૂહિક રીતે મદદ કરશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.