Morbi અંગે પ્રશ્ન પૂછાતા BJPના મંત્રી Bhanuben Babariya પત્રકારના સવાલોથી ભાગ્યા!


  • Published By :
  • Published Date : 2023-11-29 17:05:43

આપણા રાજ્યમાં કોઈ ઘટના કે દુર્ઘટનાઓ થાય તો સ્વાભાવિક રીતે  આપણે આશા રાખીએ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ નેતાઓ અને મંત્રીઓ તે મુદ્દા ઉપર જવાબ આપે, અને એ સુનિશ્ચિત કરે તેવી ઘટના ફરીથી નહીં થાય. થોડા દિવસ પહેલા જ મોરબીમાં એક દલિત યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો એને ઢોર મારવામાં આવ્યો. આ મુદ્દે અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે આરોપી પોલીસની પકડમાં પણ છે અને આગળ કાયદાકીય રીતે કાર્યવાહી થશે. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે કે ભાનુબેન બાબરીયાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન પર જવાબ આપવાની જગ્યાએ મંત્રીએ ચાલતી પકડી હતી. 

પોલીસ કસ્ટડીમાં છે રાણીબા!

મોરબીમાં થોડા સમય પહેલા પગાર માગવા ગયેલા યુવક સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેને ચપ્પલ ચટાડવામાં આવ્યું અને ઢોરની જેમ મારવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ  કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાણીબા સહિતના લોકોના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આવી ઘટનાઓ પ્રતિદિન વધી રહ્યા છે. આ ઘટના પર ભાજપના ધારાસભ્યો મૌન ધારણ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ પર સ્વાભાવિક રીતના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે ભાનુબેન બાબરીયાને સવાલ કરવો પડે કે સમાજમાં હજુ પણ જ્યારે આવી ઘટનાઓ બને છે તો તમે શું કરશો?



મોરબીની ઘટના અંગે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું ત્યારે.... 

આ અંગેનો પ્રશ્ન ભાનુબેન બાબરીયાને પૂછવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગઈકાલે ભારત વિકાસ સંકલ્પ યાત્રનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા હાજર હતા. કાર્યક્રમ વિશે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો ભાનુબેન સરસ રીતે તેનો જવાબ આપ્યો પણ પછી જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે મોરબીમાં ઘટના બની છે એના પર તમારું શું કહેવું છે તો ભાનુબેન બાબરીયા મૌન રહ્યા અને ત્યાંથી નીકળી ગયા. 



જો મંત્રીઓ આ વિશે જવાબ નહીં આપે તો....

ધારાસભ્ય જતા રહ્યા એ વીડિયો જોયો તે બાદ થયું કે આવું તો અનેક વાર થયું છે. મોરબીની ઘટના હોય કે પછી આ દલિત અત્યાચારની ઘટના હોય આવા મુદ્દાઓ પર જ્યારે મંત્રીઓને સવાલ પૂછવામાં આવે ત્યારે તે ભાગતા દેખાય છે. જો મંત્રીઓ જ આવી ઘટનાઓ વિશે નહીં બોલે તો કોણ જવાબ આપશે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.