Morbi અંગે પ્રશ્ન પૂછાતા BJPના મંત્રી Bhanuben Babariya પત્રકારના સવાલોથી ભાગ્યા!


  • Published By :
  • Published Date : 2023-11-29 17:05:43

આપણા રાજ્યમાં કોઈ ઘટના કે દુર્ઘટનાઓ થાય તો સ્વાભાવિક રીતે  આપણે આશા રાખીએ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ નેતાઓ અને મંત્રીઓ તે મુદ્દા ઉપર જવાબ આપે, અને એ સુનિશ્ચિત કરે તેવી ઘટના ફરીથી નહીં થાય. થોડા દિવસ પહેલા જ મોરબીમાં એક દલિત યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો એને ઢોર મારવામાં આવ્યો. આ મુદ્દે અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે આરોપી પોલીસની પકડમાં પણ છે અને આગળ કાયદાકીય રીતે કાર્યવાહી થશે. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે કે ભાનુબેન બાબરીયાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન પર જવાબ આપવાની જગ્યાએ મંત્રીએ ચાલતી પકડી હતી. 

પોલીસ કસ્ટડીમાં છે રાણીબા!

મોરબીમાં થોડા સમય પહેલા પગાર માગવા ગયેલા યુવક સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેને ચપ્પલ ચટાડવામાં આવ્યું અને ઢોરની જેમ મારવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ  કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાણીબા સહિતના લોકોના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આવી ઘટનાઓ પ્રતિદિન વધી રહ્યા છે. આ ઘટના પર ભાજપના ધારાસભ્યો મૌન ધારણ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ પર સ્વાભાવિક રીતના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે ભાનુબેન બાબરીયાને સવાલ કરવો પડે કે સમાજમાં હજુ પણ જ્યારે આવી ઘટનાઓ બને છે તો તમે શું કરશો?



મોરબીની ઘટના અંગે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું ત્યારે.... 

આ અંગેનો પ્રશ્ન ભાનુબેન બાબરીયાને પૂછવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગઈકાલે ભારત વિકાસ સંકલ્પ યાત્રનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા હાજર હતા. કાર્યક્રમ વિશે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો ભાનુબેન સરસ રીતે તેનો જવાબ આપ્યો પણ પછી જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે મોરબીમાં ઘટના બની છે એના પર તમારું શું કહેવું છે તો ભાનુબેન બાબરીયા મૌન રહ્યા અને ત્યાંથી નીકળી ગયા. 



જો મંત્રીઓ આ વિશે જવાબ નહીં આપે તો....

ધારાસભ્ય જતા રહ્યા એ વીડિયો જોયો તે બાદ થયું કે આવું તો અનેક વાર થયું છે. મોરબીની ઘટના હોય કે પછી આ દલિત અત્યાચારની ઘટના હોય આવા મુદ્દાઓ પર જ્યારે મંત્રીઓને સવાલ પૂછવામાં આવે ત્યારે તે ભાગતા દેખાય છે. જો મંત્રીઓ જ આવી ઘટનાઓ વિશે નહીં બોલે તો કોણ જવાબ આપશે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી