Morbi અંગે પ્રશ્ન પૂછાતા BJPના મંત્રી Bhanuben Babariya પત્રકારના સવાલોથી ભાગ્યા!


  • Published By :
  • Published Date : 2023-11-29 17:05:43

આપણા રાજ્યમાં કોઈ ઘટના કે દુર્ઘટનાઓ થાય તો સ્વાભાવિક રીતે  આપણે આશા રાખીએ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ નેતાઓ અને મંત્રીઓ તે મુદ્દા ઉપર જવાબ આપે, અને એ સુનિશ્ચિત કરે તેવી ઘટના ફરીથી નહીં થાય. થોડા દિવસ પહેલા જ મોરબીમાં એક દલિત યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો એને ઢોર મારવામાં આવ્યો. આ મુદ્દે અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે આરોપી પોલીસની પકડમાં પણ છે અને આગળ કાયદાકીય રીતે કાર્યવાહી થશે. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે કે ભાનુબેન બાબરીયાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન પર જવાબ આપવાની જગ્યાએ મંત્રીએ ચાલતી પકડી હતી. 

પોલીસ કસ્ટડીમાં છે રાણીબા!

મોરબીમાં થોડા સમય પહેલા પગાર માગવા ગયેલા યુવક સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેને ચપ્પલ ચટાડવામાં આવ્યું અને ઢોરની જેમ મારવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ  કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાણીબા સહિતના લોકોના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આવી ઘટનાઓ પ્રતિદિન વધી રહ્યા છે. આ ઘટના પર ભાજપના ધારાસભ્યો મૌન ધારણ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ પર સ્વાભાવિક રીતના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે ભાનુબેન બાબરીયાને સવાલ કરવો પડે કે સમાજમાં હજુ પણ જ્યારે આવી ઘટનાઓ બને છે તો તમે શું કરશો?



મોરબીની ઘટના અંગે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું ત્યારે.... 

આ અંગેનો પ્રશ્ન ભાનુબેન બાબરીયાને પૂછવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગઈકાલે ભારત વિકાસ સંકલ્પ યાત્રનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા હાજર હતા. કાર્યક્રમ વિશે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો ભાનુબેન સરસ રીતે તેનો જવાબ આપ્યો પણ પછી જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે મોરબીમાં ઘટના બની છે એના પર તમારું શું કહેવું છે તો ભાનુબેન બાબરીયા મૌન રહ્યા અને ત્યાંથી નીકળી ગયા. 



જો મંત્રીઓ આ વિશે જવાબ નહીં આપે તો....

ધારાસભ્ય જતા રહ્યા એ વીડિયો જોયો તે બાદ થયું કે આવું તો અનેક વાર થયું છે. મોરબીની ઘટના હોય કે પછી આ દલિત અત્યાચારની ઘટના હોય આવા મુદ્દાઓ પર જ્યારે મંત્રીઓને સવાલ પૂછવામાં આવે ત્યારે તે ભાગતા દેખાય છે. જો મંત્રીઓ જ આવી ઘટનાઓ વિશે નહીં બોલે તો કોણ જવાબ આપશે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.