જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોનું બધુ છીનવાઈ જાય છે! ખેડૂતોની વેદના સાંભળી તમે પણ ઈમોશનલ થઈ જશો


  • Published By :
  • Published Date : 2023-11-27 16:35:14

ગઈકાલથી આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઉભા પાકને મોટા પાયે આ માવઠાને કારણે નુકસાન થયું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતની વેદનાના વીડિયો સામે આવ્યા છે. જગ્યા ભલે અલગ હોય પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ સરખી જ છે. સુરતથી એક દ્રશ્ય સામે આવ્યું જેમાં પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. 

ખેડૂતોની વેદના આપણે નહીં સમજી શકીએ!

આપણે અનેક વખત થાળીમાં ભોજન રાખી મુકીએ છીએ. એમ માનીને કે આટલામાં કંઈ ન બગડે. જમણ વારમાં પણ અનેક વખત આપણે જોયું હશે કે ભોજનનો વેડફાટ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આટલું ભોજન વેડફવાથી કઈ નહીં થાય પરંતુ આપણે એ વખતે ભૂલી જઈએ છીએ કે આ ભોજન આપણી થાળી સુધી પહોંચ્યું તે માટે ખેડૂતોએ કેટલી મહેનત કરી હશે. એ વસ્તુઓનો આપણને કદાચ ખ્યાલ પણ ન હોય કે ખેતરમાં ખેતી કરતી વખતે ખેડૂતોના શું હાલ થાય છે. 

દેવાંશી જોષીને ખેડૂતોએ જણાવી આપવીતિ! 

જેતપુરમાં જ્યારે દેવાંશી જોષી ગયા હતા ત્યારે ખેડૂતોએ આપવીતિ કહી હતી. સરકાર સહાયના વાયદા કરે છે પરંતુ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે સરકાર કરેલા વાયદા ભૂલી જતી હોય છે તેવી વાત ખેડૂતે કરી હતી. સુરતથી પણ આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ખેડૂતોની વેદનાને સમજાવતા અનેક વીડિયો જોઈએ. મહત્વનું છે કે માવઠાને કારણે કઠોળ જેવા પાક  તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.કરા પડતાની સાથે જ ખેડૂતો ચિંતિત બન્યા છે, કરા પડવાના કારણે ખેતરમાં ઉભા પાકને મોટુ નુકસાન થઇ શકે છે, ખાસ કરીને ધાણા સહિતના પાકોમાં મોટા નુકસાની ની ભીતિ છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી