જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોનું બધુ છીનવાઈ જાય છે! ખેડૂતોની વેદના સાંભળી તમે પણ ઈમોશનલ થઈ જશો


  • Published By :
  • Published Date : 2023-11-27 16:35:14

ગઈકાલથી આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઉભા પાકને મોટા પાયે આ માવઠાને કારણે નુકસાન થયું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતની વેદનાના વીડિયો સામે આવ્યા છે. જગ્યા ભલે અલગ હોય પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ સરખી જ છે. સુરતથી એક દ્રશ્ય સામે આવ્યું જેમાં પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. 

ખેડૂતોની વેદના આપણે નહીં સમજી શકીએ!

આપણે અનેક વખત થાળીમાં ભોજન રાખી મુકીએ છીએ. એમ માનીને કે આટલામાં કંઈ ન બગડે. જમણ વારમાં પણ અનેક વખત આપણે જોયું હશે કે ભોજનનો વેડફાટ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આટલું ભોજન વેડફવાથી કઈ નહીં થાય પરંતુ આપણે એ વખતે ભૂલી જઈએ છીએ કે આ ભોજન આપણી થાળી સુધી પહોંચ્યું તે માટે ખેડૂતોએ કેટલી મહેનત કરી હશે. એ વસ્તુઓનો આપણને કદાચ ખ્યાલ પણ ન હોય કે ખેતરમાં ખેતી કરતી વખતે ખેડૂતોના શું હાલ થાય છે. 

દેવાંશી જોષીને ખેડૂતોએ જણાવી આપવીતિ! 

જેતપુરમાં જ્યારે દેવાંશી જોષી ગયા હતા ત્યારે ખેડૂતોએ આપવીતિ કહી હતી. સરકાર સહાયના વાયદા કરે છે પરંતુ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે સરકાર કરેલા વાયદા ભૂલી જતી હોય છે તેવી વાત ખેડૂતે કરી હતી. સુરતથી પણ આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ખેડૂતોની વેદનાને સમજાવતા અનેક વીડિયો જોઈએ. મહત્વનું છે કે માવઠાને કારણે કઠોળ જેવા પાક  તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.કરા પડતાની સાથે જ ખેડૂતો ચિંતિત બન્યા છે, કરા પડવાના કારણે ખેતરમાં ઉભા પાકને મોટુ નુકસાન થઇ શકે છે, ખાસ કરીને ધાણા સહિતના પાકોમાં મોટા નુકસાની ની ભીતિ છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.