Jamawatની ટીમે જ્યારે Congressના આદિવાસી નેતા Anant Patelને પૂછ્યું કે તમે ભાજપમાં જવાના? જવાબ આપતા અનંત પટેલે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:51:00

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગેસના અનેક નેતાઓ, ધારાસભ્યો પક્ષને છોડી ભાજપમાં જઈ રહ્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. હજી પણ અનેક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી શકે છે તેવી વાતો ચાલી રહી હતી અને આ બધા વચ્ચે અનંત પટેલ ભાજપમાં જશે કે નહીં તેની ખબર પડી ગઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અનંત પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં  જ રહેવાના છે. 

ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા હતા અનંત પટેલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં હતી. ગઈકાલે આ યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડોયા હતા. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે ભરૂચમાં દેખાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડોયા હતા. ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા જમાવટની ટીમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તે ભાજપમાં જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે તેમને ભાજપમાંથી ઓફર નથી મળી! તેઓ ભાજપમાં નહીં જાય તેવી વાત અનંત પટેલે કરી છે. 


ભાજપમાં શરૂ થઈ ગયો છે ભરતીમેળો!

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા થોડા સમયની અંદર જ કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે અને આવનાર સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવેલી વાત સાચી છે કે પછી બીજા રાજનેતાઓના જેવી સાબિત થાય છે. કારણ કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે રાજનેતાઓ હમણાં ના પાડતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ ખબર પડે છે કે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું રાજનેતાઓની નામાં હા છુપાયેલી હોય છે તે એક પ્રશ્ન છે..?          



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .