Jamawatની ટીમે જ્યારે Congressના આદિવાસી નેતા Anant Patelને પૂછ્યું કે તમે ભાજપમાં જવાના? જવાબ આપતા અનંત પટેલે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:51:00

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગેસના અનેક નેતાઓ, ધારાસભ્યો પક્ષને છોડી ભાજપમાં જઈ રહ્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. હજી પણ અનેક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી શકે છે તેવી વાતો ચાલી રહી હતી અને આ બધા વચ્ચે અનંત પટેલ ભાજપમાં જશે કે નહીં તેની ખબર પડી ગઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અનંત પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં  જ રહેવાના છે. 

ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા હતા અનંત પટેલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં હતી. ગઈકાલે આ યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડોયા હતા. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે ભરૂચમાં દેખાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડોયા હતા. ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા જમાવટની ટીમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તે ભાજપમાં જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે તેમને ભાજપમાંથી ઓફર નથી મળી! તેઓ ભાજપમાં નહીં જાય તેવી વાત અનંત પટેલે કરી છે. 


ભાજપમાં શરૂ થઈ ગયો છે ભરતીમેળો!

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા થોડા સમયની અંદર જ કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે અને આવનાર સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવેલી વાત સાચી છે કે પછી બીજા રાજનેતાઓના જેવી સાબિત થાય છે. કારણ કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે રાજનેતાઓ હમણાં ના પાડતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ ખબર પડે છે કે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું રાજનેતાઓની નામાં હા છુપાયેલી હોય છે તે એક પ્રશ્ન છે..?          



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.