Jamawatની ટીમે જ્યારે Congressના આદિવાસી નેતા Anant Patelને પૂછ્યું કે તમે ભાજપમાં જવાના? જવાબ આપતા અનંત પટેલે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:51:00

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગેસના અનેક નેતાઓ, ધારાસભ્યો પક્ષને છોડી ભાજપમાં જઈ રહ્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. હજી પણ અનેક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી શકે છે તેવી વાતો ચાલી રહી હતી અને આ બધા વચ્ચે અનંત પટેલ ભાજપમાં જશે કે નહીં તેની ખબર પડી ગઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અનંત પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં  જ રહેવાના છે. 

ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા હતા અનંત પટેલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં હતી. ગઈકાલે આ યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડોયા હતા. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે ભરૂચમાં દેખાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડોયા હતા. ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા જમાવટની ટીમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તે ભાજપમાં જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે તેમને ભાજપમાંથી ઓફર નથી મળી! તેઓ ભાજપમાં નહીં જાય તેવી વાત અનંત પટેલે કરી છે. 


ભાજપમાં શરૂ થઈ ગયો છે ભરતીમેળો!

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા થોડા સમયની અંદર જ કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે અને આવનાર સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવેલી વાત સાચી છે કે પછી બીજા રાજનેતાઓના જેવી સાબિત થાય છે. કારણ કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે રાજનેતાઓ હમણાં ના પાડતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ ખબર પડે છે કે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું રાજનેતાઓની નામાં હા છુપાયેલી હોય છે તે એક પ્રશ્ન છે..?          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.