જો સાસુ જમાઈ સાથે લગ્ન કરવાની જીદ પકડે તો! Ahmedabadમાં બની આવી ઘટના જેમાં સાસુ પડી જમાઈના પ્રેમમાં, વાંચો વિચિત્ર પ્રેમકહાનીનો કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-08-13 13:21:25

ગુજરાતમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ લાગે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. ત્યારે પૂર્વ અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઈ સાથે લગ્ન કરવાની જીદ દીકરીના માતાએ પકડી. આ લાઈન વાંચીને થયું હશે કે આવું થોડી શક્ય છે. પરંતુ ના આ વાત સત્ય છે. આવી ઘટના સાચે બની છે. સાસુ દીકરી અને જમાઈને અલગ અલગ કારણો આપી પોતાના ત્યાં બોલાવતી હતી. જ્યારે તેઓ ઘરે આવી જાય ત્યારે દીકરીને કોઈ કામના બહાને બહાર મોકલી દેવામાં આવતી અને ઘરમાં સાસુ જમાઈનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. ત્રણ વર્ષથી ચાલતા આ પ્રેમ પ્રકરણની જાણ દીકરીને ત્યારે થઈ જ્યારે પાડોશીઓ આ વાતની જાણ તેને કરી. 



જમાઈ સાથે લગ્ન કરવાની સાસુને થઈ ઈચ્છા!

આપણે હંમેશા જોઈએ છીએ કે જો દીકરીનું ઘર ભાંગવાને આરે આવ્યું હોય, છુટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય ત્યારે દીકરીનું ઘર બચાવવા માતા પિતા અનેક પ્રયાસો કરતા હોય છે. અનેક રીતે વાતને સુલઝાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ જો માતા જ પોતાની દીકરીનું ઘર ભાંગે તો? પૂર્વ અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઈ સાથે લગ્ન કરવાની જીદ સાસુએ પકડી હતી. સાસુ જમાઈના પ્રેમમાં પડી ગઈ અને દીકરીને કહેવા લાગી કે હું એકલી છું, મારે તેની જરૂર છે. જમાઈ પણ રંગીન મિજાજનો હતો. તેણે પણ સાસુને રોકવાનો પ્રયત્ન ન કર્યો. માતાના આવા શબ્દો સાંભળી દીકરીની નીચેથી જમીન સરકી ગઈ. તે આ વાક્ય પર વિશ્વાસ કરી ન શકી.  



દીકરીને કામના બહાને બહાર મોકલી સાસુ-જમાઈ કરતા હતા ઈલુ-ઈલુ! 

પ્રેમમાં પાગલ બનેલી સાસુ જમાઈ સાથે સમય વીતાવા માટે અનેક રસ્તાઓ અપનાવતી. વિવિધ કારણો બતાવી દીકરીને જમાઈને પોતાને ત્યાં બોલાવતી. અને દીકરીને કામના કારણોસર બહાર મોકલી દેવાતી અને ઘરમાં સાસુ-જમાઈ સમય વિતાવતા હતા.  ત્રણ વર્ષ સુધી દીકરીને આ ચક્કર વિશે ખબર જ ન પડી. આખી પ્રેમકહાનીનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે પાડોશીએ આ અંગેની જાણ દીકરીને કરી. હંમેશાની જેમ એકબીજા સાથે સમય વીતાવવા દીકરીને ઘરની બહાર મોકલી દેવામાં આવી પરંતુ આ વખતે જ્યારે દીકરી બહાર ગઈ ત્યારે તે નિર્ધારિત સમય પહેલા પાછી ફરી. કારણ કે આ આખા પ્રેમપ્રકરણની જાણ પાડોશીએ તેને કરી દીધી હતી. ઘરમાં રહેલી માતા અને પતિને પ્રેમાલાપ કરતા જોઈ દીકરી પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શકી. એ દ્રશ્યો જોઈ દીકરી પોતાને રોકી ન શકી અને અંદર જતી રહી.  



પાડોશીએ આપી પ્રેમપ્રકરણ અંગે દીકરીને માહિતી 

માતા અને પતિના કારસ્તાનની વાત સાંભળી દીકરી હોશ ખોઈ બેઠી. માતા સાથે દીકરીએ ઝઘડો કર્યો ત્યારે માતા બોલી બેઠી કે હું એકલી છું, મારે તેની જરૂર છે. મારે તારા પતિ સાથે લગ્ન કરવા છે. દીકરીને કહે છે કે તારે જતા રહેવું હોય તો જતી રહે. દીકરીએ મદદ માટે હેલ્પલાઈનની મદદ લીધી. સાસુને સમજાવવાનો પ્રયાસ કાઉન્સિલરોએ કર્યો પરંતુ સાસુ ટસની મસ ન થઈ. જમાઈ સાથે લગ્ન કરવાની ઈચ્છા કરવામાં સાસુએ મક્કમતા દર્શાવી. અને અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.