Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની શરૂઆત? જાણો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-28 17:53:40

ચોમાસું ક્યારે આવશે...? આ ગરમીથી તો હવે કંટાળી ગયા.. આ વાક્યો અનેક વખત આપણે બોલ્યા હોઈશું અથવા તો સાંભળ્યા હશે કારણ કે ગરમીનો પ્રકોપ લોકો કરી રહ્યા છે.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરીથી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31મે સુધી કેરળમાં મોનસુનનો પ્રવેશ થઈ શકે છે.. ત્યારે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તેનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ 

જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહી જાણવી હોય ત્યારે અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની આગાહી પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં ક્યારથી વરસાદ થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી? 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ચાર જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. આ વર્ષે ચોમાસું સારૂં રહેશે તેવી વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે..


ગરમીથી લોકો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ 

મહત્વનું છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. 46 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો હતો. બપોરના સમયે ઘરની બહાર જો નિકળવું પડે તો લોકો સો વખત વિચાર કરે છે કે જવું કે નહીં.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.. આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે