Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની શરૂઆત? જાણો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-28 17:53:40

ચોમાસું ક્યારે આવશે...? આ ગરમીથી તો હવે કંટાળી ગયા.. આ વાક્યો અનેક વખત આપણે બોલ્યા હોઈશું અથવા તો સાંભળ્યા હશે કારણ કે ગરમીનો પ્રકોપ લોકો કરી રહ્યા છે.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરીથી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31મે સુધી કેરળમાં મોનસુનનો પ્રવેશ થઈ શકે છે.. ત્યારે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તેનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ 

જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહી જાણવી હોય ત્યારે અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની આગાહી પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં ક્યારથી વરસાદ થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી? 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ચાર જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. આ વર્ષે ચોમાસું સારૂં રહેશે તેવી વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે..


ગરમીથી લોકો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ 

મહત્વનું છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. 46 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો હતો. બપોરના સમયે ઘરની બહાર જો નિકળવું પડે તો લોકો સો વખત વિચાર કરે છે કે જવું કે નહીં.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.. આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.